________________
ઉપાધ્યાય શ્રી વિનયવિજ્યજી શ્રીપાલરાસને શરૂ કરે, રાંદેર સંઘનો પૂર્તિ આગ્રહ વાચક સ સ્વીકાર કરે, સાર્ધ સપ્તશત ગાથા પછીનું પૂર્ણ કર્યું એ રાસનું જ્ઞાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન સત્તર તેંતાલીસ ડભોઈતીર્થે ચરમ ચોમાસું આપ રહ્યા, વરસ પંચાવન નિર્મળ સંયમ પાળી યશથી અમર થયા, વહેલા વહેલા શિવપુર જવા કહ્યું આપે શું શુભપ્રસ્થાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન ...૭ પ્રભુની આણા ગૌણ બની ને જ્ઞાનનો મારગ વિરલ બન્યો. “શાસન મારું, હું શાસનનો' એવો અન્તર્નાદ ઘટ્યો, એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજે અમને સાચું જ્ઞાન ...૮... પ્રશસ્તિ :
ન્યાયાચાર્ય ને ન્યાયવિશારદ યશોવિજયજી વાચક રાજ, વરસ વીત્યાં છે ત્રણસો પૂરાં સ્મરણ અંજલિ દઈએ આજ, દેવ તેમનો સેવક ભાવે સકલ સંઘ સાથે પ્રણમે, ચૈત્રી પૂનમ દિન ચરણ વન્દના કરીને જીવન ધન્ય ગણે પુરવણી: સભામહ અવધાન સાંભળી ચકિત થયા ધનજી શૂરા, ઊભા થઈને વિનતી કરે છે પ્રેમી શાસનનાં પૂરાં, કાશી જઈને ષટ્રદર્શનના ગ્રંથ ભણાવો ચાહું છું, એ મુનિવરમાં અગાધ પ્રતિભા બીજો ““હેમ”નિહાળું છું યશોવિજયજીને બોલાવી ભાવ ઘરીને એકાન્ત, ઉપકારી શ્રી સિહસૂરીજી હિત શિક્ષા આપે ખંતે,
ભાઈ, આધ્યાત્મિકતા કાજે અવગાહોઆગમ અવિરામ, અબુધ જનોનાં હિતને કાજે ગૂર્જર ગ્રન્થોરચો ગતમાન”
........