SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું શુદ્ધ-બુદ્ધ-ન્િજન-નિરાકાર સિદ્ધાત્મ-સ્વરૂપ તો નિષ્ક્રિય છે, પરંતુ જ્યાં સુધી જીવ કર્મબદ્ધ છે, ત્યાં સુધી અજ્ઞાન-અવિશ્વાસ-અંધશ્રદ્ધાઅશ્રદ્ધા-લંપટતા અને ખા ખા કરવું વગેરે અનેક દુરાચારોમાં રચ્યો-પચ્યો અને ફસાયેલો છે. શુદ્ધ નિષ્ક્રિય આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે આ દુરાચારોપાપાચારોનું વર્જન અનિવાર્ય છે. તે બે રીતે સંભવી શકે : જીવ તમામ પ્રવૃત્તિઓને સર્વથા એકાએક બંધ કરી દે અથવા અજ્ઞાનાદિની વિરોધી જ્ઞાનાદિ પાંચ આચારમય પ્રવૃત્તિને અપનાવી લે. પણ આ બેમાં પ્રથમ રીત પ્રારમ્ભમાં તદ્દન અશક્યપ્રાયઃ છે તેથી આત્માને સતત નજર સામે રાખીને, જ્ઞાનાદિ પંચાચારના પાલન સ્વરૂપ અધ્યાત્મ માર્ગે જીવ આગેકૂચ કરે તો જ અજ્ઞાનાદિ દુરાચારોથી જીવ સર્વથા મુક્ત બનીને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે, માટે એવંભૂતનયે પંચાચારનું સુંદર પાલન એ જ અધ્યાત્મ છે. વ્યવહાર અને સૂત્ર આ બે નય આધ્યાત્મિક વ્યવહારનયમાં સમાવિષ્ટ છે એટલે એ કહે છે કે બાહ્યપ્રવૃત્તિરૂપ પંચાચારપાલનની સાથે ચિત્ત, મૈત્રી-પ્રમોદ-કરુણા અને ઉપેક્ષા આ ચાર ભાવનાઓથી વાસિત-ભાવિત-તન્મય બનતું જાય તે જ અધ્યાત્મ છે. વ્યવહારનયનો ઝોક બાહ્યપ્રવૃત્તિ ઉપર વધુ પડતો હોવાથી પંચાચારપાલનને તો તે અનિવાર્ય ગણે છે, પણ આ વ્યવહારનય ૠજુસૂત્રનયના દષ્ટિકોણથી ગર્ભિત હોવાના કારણે પંચાચાર પાલનકાળે ચિત્તમાં મૈત્રી આદિ ભાવોની સુવાસને આવકારે છે, કારણ કે એના વિના પંચાચારનું પાલન શુષ્ક બની જાય છે. ઋજુસૂત્રનયનો દષ્ટિકોણ એવો છે કે ભૂતકાળ સારો હતો કે ખરાબ એ મારે નથી જોવું, પણ સારા ભવિષ્યના નિર્માણ માટે વર્તમાનકાળ કેવો જોઈએ એ વિચારવાનું છે. વર્તમાન સમયે ચિત્ત જો શત્રુભાવ ગુણદ્વેષ-નિર્દયતા અને પરપંચાતના દોષોથી ખરડાયેલું હશે તો શુદ્ધ અધ્યાત્મનો અનુભવ અશક્ય છે. માટે તેના વિરોધી મૈત્રી આદિ ભાવોથી ચિત્ત સુવાસિત હોય તો જ વર્તમાનમાં અધ્યાત્મ અનુભવસિદ્ધ થાય. વર્તમાનમાં જ અધ્યાત્મને જીવતું-જાગતું અનુભવવા માટે આ ૠજુસૂત્રનયનો વ્યવહારસંકલિત દષ્ટિકોણ ખૂબ મહત્ત્વનો છે. અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરવા માટે મનને સર્વ પૂર્વોગ્રહોથી મુક્ત રાખીને, મધ્યસ્થ ભાવગર્ભિત જિજ્ઞાસામાં રમતું રાખવાની ખાસ જરૂર છે. શુષ્ક તર્કવાદ પ્રગતિને રૂંધનારો છે તેથી અતીન્દ્રિય તત્ત્વોની જિજ્ઞાસાપૂર્તિ માટે એકલા તર્કવાદ પર નિર્ભર ન રહેતાં વીતરાગ વચનરૂપી શાસ્ત્રનું અવલંબન ન યશોભારતી છુ ૯૬
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy