SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જંબૂકુમારે ભગવાન સુધર્માસ્વામીજીની દેશના સાંભળીને ચારિત્ર લેવાનો સંકલ્પ કર્યો. માતા-પિતાની રજા મેળવવા માટે તે ઘરે આવી રહ્યા હતા. અને રસ્તામાં એક મોટો લોહનો ગોળો પગ પાસે આવીને પડ્યો. જેબૂએ વિચાર્યું કે જો, માથામાં પડ્યો હોત તો જીવતર અહીં જ પૂરું થઈ જાત. જીવનનો કોઈ ભરોસો નથી. રજા લેવા જેટલો પણ વિલંબ કરવા જેવો નથી. પાછો ગુરુદેવ પાસે જાઉં અને તરત દીક્ષા લઈ લઉં. જંબૂ ગણઘરશ્રી પાસે આવ્યા અને દીક્ષા માંગી પણ ભવિષ્યમાં વધુ લાભને જાણનારા સુધર્માસ્વામીજીએ જંબૂને કહ્યું, ના તું રજા લઈને આવ પછી દીક્ષા આપું. ત્યારે જંબુ કહે છે કે, ખેર દીક્ષા નહીં તો બ્રહ્મચર્યવ્રત તો આપી દ્યો. ચોથું વ્રત સુધર્માસ્વામીએ આપ્યું. અને જંબૂ દીક્ષાની રજા લેવા પહોંચ્યો. માતા-પિતા સ્વજનોએ વાત સાંભળીને ઘણી ધમાલ કરી. ઘણા મનામણાં કર્યો, પણ જંબૂ એકના બે ન થયા. છેવટે એક દિવસ લગ્ન કરી બીજે દિવસે દીક્ષા લેવાનો નિર્ણય લેવાયો. સહુએ સ્વીકાર્યો. કન્યાઓના માતા-પિતાએ ના પાડી. પણ કન્યાઓ કહે કે અમે જંબૂ સિવાય અન્યને પરણશું નહીં. એ જે કરશે તે અમે કરશું. પણ, એક ભવમાં બે ભરથાર નહિ કરીએ. લગ્નનો માંડવો નંખાયો. ધવલ મંગલ વાગવા લાગ્યા. જંબૂકુમારને લગ્નની પીઠી ચોળવામાં આવી. સ્નાન કરીને જ્યારે બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે જંબૂના વાળમાંથી પાણીનાં ટીપા ટપકી રહયાં છે. એ જોઈને પૂ. મહોપાધ્યાયજી રાસમાં લખે છે કે આ સુંવાળા વાળ બિચારા રોવા માંડ્યા અને આંસુના ટીપાં પાડવા લાગ્યા, કેમકે વાળને હવે સામે લોચના દિવસો નજીક દેખાવા મંડયા છે. “નિચોઈનું પાણી રે ન્હાયા જંબૂ શિર જાણી રે, લોચ ઢંકડો માનું એ કેશ આંસુ ઝરઈ રે.” આ પ્રસંગે રાસકારે જંબૂકુમારના મેકપનું જોરદાર વર્ણન કર્યું છે. તે પછી જાન કેવી હતી? જાનૈયા કેવા હતા? લગ્નમંડપ કેવો હતો? વગેરે અદૂભુત વર્ણનો છે, પણ અત્યારે આપણી પાસે સમયની મર્યાદા છે. તેથી જલદી સીધા હવે લગ્નના માંડવે પહોંચી જઈએ. શરાવ સંપુટને પગ નીચે ચાંપીને જંબૂકમારે માણ્યરામાં પ્રવેશ કર્યો. આઠ કન્યાઓ પણ સાથે બેઠી છે. હજારો નર-નારી વિવાહ મંડપમાં જમા થયા. હસ્તમેળાપ અને ચાર મંગળના ચાર ફેરા અને અગ્નિહોમની ક્રિયા કરવા પૂર્વક જંબૂ પરણ્યા. વર-વધૂને ચીકાર સોનૈયાની ભેટો આપવામાં આવી. જેબૂ કુલ નવાણું ક્રોડ સૌનૈયાના અને આઠ કન્યાઓના સ્વામી બન્યા. મંગળ દીપકો પ્રગટાવ્યા. ધવલમંગલ ગવાવા સ્વામી રામ n ૮૩ )
SR No.032290
Book TitleYasho Bharti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherChandroday Charitable Religious Trust
Publication Year1992
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy