SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ફિરાક ગોરખપુરી લઈ જતા. શિક્ષણ સજીવ બને તે માટે જુદી જુદી વિદ્યાઓ સાથે સતત સંપર્ક રાખતા. શિક્ષણની પ્રવર્તમાન સ્થિતિ જોઈ ને ઘણી વેદના અનુભવતા. વિદ્યાથી પદવી મેળવે છે, પણ એ પછી બેકારીને ભય એને સતત ઉદાસીન રાખે છે. દેશના યુવાનોની આ દુર્દશા જોઈને ફિરાક બેલી ઊઠયા: રિયોજ-એ-દહર મેં કી હંસી હજી હમને દેખી હૈ, ગુલિસ્તાં દર બગલ હર ગુંચા ખડા નહીં હતા. રિયાજ એ હિંદ કે નો ગુલ બસ જાત હૈ ખિલતે હી, યહ હાથે મેં કભી આઈના-એ-શબનમ નહીં હેતે. ફિરાકને અધ્યાપનકાર્ય સ્વીકાર્યાને આઠેક વર્ષ થયાં હતાં. આ સમયે એક વાર મજનૂ ગોરખપુરી અને પ્રેમચંદની સાથે ફિરાક ગામડામાં રહ્યા હતા. ફિરાકે એમના ચિત્ત પર છાઈ ગયેલા નવલિકાના કથાવસ્તુની વાત કરી. બન્યું એવું કે થોડા સમય બાદ આ કથાનક પર આધારિત ગહના” નામની નવલિકા મજનૂ ગોરખપુરીએ લખી. સંજોગવશાત્ પ્રેમચંદજીએ પણ આ કથાવસ્તુને નજરમાં રાખીને “આભૂષણ નવલિકા લખી. સાહિત્યરસિકને માટે એ સમસ્યા ઊભી થઈ કે આ બેમાંથી કઈ નવલિકા પહેલાં લખાઈ છે અને કોણે બીજાના કથાનકને ઉપયોગ કર્યો છે? મજનૂ ગેરખપુરીએ જાહેર કર્યું કે આ નવલિકાનું કથાવસ્તુ એમનું કે પ્રેમચંદનું કેઈનું નથી, પણ ફિરાક ગોરખપુરીનું છે !
SR No.032286
Book TitleFirak Gorakhpuri
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherParichay Trust
Publication Year1984
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy