SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામની સાધુને ઈશ્વર સમાન જ ગણાવ્યો છે, એ આપણે આગળ જોઈ આવ્યા છીએ. આમ પ્રભુ એટલે તેનું નામ, અને તેનું નામ એટલે ગુરુ-પ્રસાદ કે સત્સંગ, એમ સમજાવી ગુરુઓએ શીખને માર્ગ સરળ કરી આપ્યો છે. પરંતુ, નામજપન કે સાધુ શરણ કે કઈ પણ સાધના કેવળ બાહ્યાચાર થઈ શકે એમ હરેક દેશના ધર્મને ઈતિહાસ બતાવે છે. ગુરુ નાનકને જ આ દુઃખદ ભ્રષ્ટતા જેવી પડી હતી ને તેથી નવેસર ધર્મ-સંસ્થાપન કરવાનું તેમને સૂઝયું હતું. મનુષ્યહૃદયની આવી નિબળતા હોવાથી ગુરુ સ્પષ્ટ કહે છે કે, આ ભક્તિ એ વેવલાપણું નથી. એની સાચી કસોટી એ કહે છે (૧૪:૪) કે – પારદ્રાજી નિયું મને મૂલ” ૨૪ – ૪ गुर प्रसादि आपन आपु सुझै । तिसकी जानहु तृसना बुझै ॥१॥ साधसंगि हरि हरि जसु कहत । सरब रोगते ओहु हरिजनु रहत ॥२॥ अनदिनु कीरतनु केवल बख्यान । गृहसत महि सोई निरबानु ॥३॥ एक ऊपरि जिसु बनकी आसा । तिसकी कटीऐ जमकी फासा ॥४॥ पारब्रमकी जिसु मनि भूख । नानक तिसहि न लागहि दूख ॥५॥ શબ્દાથી [માપન બાપુ = આત્મા; સ્વ-સ્વરૂ૫. સંત = ગૃહસ્થાશ્રમ. માસા = આધાર, આશા. સા = ફસ – પાશ.]
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy