________________
કિંચિદ્ કથન
પરમાત્મભક્તિ એ આત્માને પરમાત્મા બનાવવાનું અમોઘ સાધન છે... પ્રભુને રોજ ભજવા છતાં પરમાત્મામય બની શકાતું નથી... પ્રભુભજને આંખ ભીની થાય... અંતર ગદ્ગદ્ થાય... કાંઈક અનોખી અનુભૂતિ થાય એ માટેનો આંશિક પ્રયત્ન અદ્યતન સાધનો-ઓડીયો દ્વારા અને વર્તમાનકાલિન સંગીત વિશારદોના કંઠે શાસ્ત્રીય રાગની ઝલક જળવાય તેવા ઉદ્દેશથી આ સાથે ૨૨૦ સ્તવનોનો સંપુટ આમાં સંગ્રહિત છે... એકલા એકલા પણ ગાતો માનવ, નિજમસ્તીમાં મસ્ત કહેવાય... ચાલો ગાવા માટે અને પ્રભુભક્તિમાં તન્મય થવા તથા એ દ્વારા આત્માની અનુભૂતિમાં મહાલવા ડગ માંડીએ.
પૂર્વકાલિન મહાપુરૂષો-પ્રભુભક્તોના શબ્દો-રચના જેમાં સંગ્રહિત કરી છે તેમાંથી આ થોડોક રસાસ્વાદ છે...
પં. નંદીભૂષણવિજયજી મ.