________________
મૌન એકાદશીની કથા.
૧૪૫
તેમજ આરાધના કરવાથી તેને શું ફળ મળ્યું ? તે કૃપા કરી જણાવે ”
ત્યારે ભગવંતે આ પર્વની આરાધના કરનાર સર શેઠની કથા કહી, તેને સાર આ પ્રમાણે –
ધાતકી ખંડમાં દક્ષિણ ભારતમાં વિજયપુર નામના નગરમાં નરવમાં નામે પરાક્રમી રાજા રાજ્ય કરતે હતે. તેને ચંદ્રાવતી નામે રાણી હતી. તેનગરમાં સૂર નામે મેટે વ્યવહારી (વેપારી) રહેતું હતું. તે ઘણે ધનવાન તથા દેવ ગુરૂને પરમ ભક્ત હતે.
તે શેઠે એક વાર ગુરૂને પૂછયું કે “મારાથી રેજ ધર્મ બની શક્તો નથી, માટે મને એ એક દિવસ કહે કે જે દિવસે કરેલો ધર્મ ઘણા ફળવાળો થાય.” તે વખતે ગુરૂએ તેને મૌન એકાદશીને મહિમા કહ્યો. તે દિવસે વિહાર ઉપવાસ, આઠ પહેરને પૌષધ કર વગેરે વિધિ જણાવી. શેઠે આદર પૂર્વક તે તપ શરૂ કર્યો. અને વિધિ પૂર્વક તે તપની આરાધના કરી. આયુષ્ય પૂર્ણ થયે શેઠ મરણ પામીને આરણ નામના અગિયારમા દેવલોકમાં દેવ થયા.
ત્યાં દેવતાઈ ભેગે ભેગવીને આયુષ્ય પૂર્ણ થયે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સૌથીપુર નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતી સ્ત્રીની કુક્ષિામાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે વખતે માતાને વ્રત પાલવાની ઈચ્છા થઈ. તેણીએ પૂર્ણ માસે સુંદર પુત્રને જન્મ આપે. મધ્ય રાતે બાલકના નાલને છેદીને ભૂમિમાં