________________
૧૦૬
દેવવંદનમાલા
થાય.
વિણ જસ માત, જેહના વિષ્ણુ તાત; પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત; સુરપતિ સંઘાત, જાસ નિકટ આયાત; કરી કર્મને ઘાત, પામીયા મોક્ષ સાત.
શ્રી વાસુપૂજ્ય જિન દેવવંદન પછી “આભવમખંડા સુધી વીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવદ્ ! શ્રી વાસુપૂજય જિન આરાધનાર્થ ચંત્યવંદન કરૂં ? ઈચ્છે કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે--
ચૈત્યવંદન.
વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ, વાસુપૂજય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ૧ મહિષ લંછન જિન બારમ, સિત્તેર ધનુષ પ્રમાણુ કાયા આયુ વરસ વલી, બોંતેર લાખ વખાણું. ૨ સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાયઃ તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય. ૩
પછી અંકિંચિત્ર નમુત્થણે અરિહંત ચેઈઆણું અન્નત્થર કહી એક નવકારને કાઉસગ્ગ પારી થેય કહેવી.