________________
શ્રી સિદ્ધાચલ સિદ્ધક્ષેત્ર, પુંડરીકગિરિ કહીયે વિમલાચલ તે સુરગિરિ, મહાગિરિ લહીયે. પુન્યરાશિ ને પર્વતનાથ, પરવત ઈંદ્ર હોય; મહાતીરથ શાશ્વતગિરિ દઢ શક્તિ જય. ૨ મુક્તિનિલય ને મહાપદ્ધ, પુષ્પદંત વળી જાણે; સુભદ્ર ને પૃથ્વીપીઠ, કૈલાશગિરિ મન આણે. ૩ પાતાલમૂલ પણ જાણીએ, વળી) અકર્મક જેહ; સર્વકામ મન પૂરણે, ટાળે ભવ દુઃખ તેહ ૪ જાત્રા નવાણું કીજીએ, જિન ઉત્તમ પદ તેહ, રૂપ મનહર પામીએ, શીવ લક્ષ્મી ગુણ ગેહ.
સિદ્ધાચલશિખરે ચઢી, ધ્યાન ધરે જગદીશ મન-વચ–કાય એકાગ્રશું, નામ જપો એકવીશ. શત્રુંજયગિરિ વંદી, બાહુબળી ગુણધામ, મરૂદેવ ને પુંડરિકગિરિ, રૈવતગિરિ વિશ્રામ. વિમલાચલ સિદ્ધરાજજી, નામ ભગીરથ સાર; સિદ્ધક્ષેત્ર ને સહસ્ત્રકમલ, મુક્તિનિલય જ્યકાર. ૩ સિદ્ધાચલ શતકુટગિરિ, ટંક ને કેડિનિવાસ, કદંબગિરિ લેહિત્ય નમે, તાલધ્વજ પુન્યરાશ. મહાબલને દઢશક્તિ સહી, એમ એકવીશે નામ; સાતે શુદ્ધિ સમાચરી, કરી નિત્ય પ્રણામ. ૫