SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ શ્રીતીથ' કરદેવે ફરમાવ્યું છે કે ‘સારા સચાગ મેળવવા માટે જાતે સારા અને !' આ ચરિત્ર-નાયકના જીવનની ઉત્તમતા તેઓના હસ્તે દીક્ષિત થયેલા પુણ્યાત્માઓના યેાગે પણ સમજાય છે. બહુધા તેઓશ્રીના હાથે એવા આત્માએ દીક્ષિત થયા છે કે પોતાની સાધુતાને ચગે તે દરેક કંઈક નહિં તે કંઈક પણ સ્વ-પર કલ્યાણ સાધી ગયા છે–શાસનસેવા કરી ગયા છે—યથાશકય જિનાજ્ઞાને શરણે રહ્યા છે. અહીં તે દરેકના જીવનને વર્ણવવાના પ્રસંગ નથી, એટલે માત્ર તેનાં નામેા જ જણાવીશું. વિ. સ. ૧૯૩૧માં તેએશ્રી રાધનપુરમાં રહ્યા, ત્યારે પહેલ– પહેલી તેઓએ એક ભાઈ તથા એક બાઇને દીક્ષા આપી. ભાઈનુ નામ પૂનમચંદ હતું, તેને મુનિશ્રી પુણ્યવિજયજી અને બાનું નામ નદુભાઇ હતું. તેને સાધ્વીજી શ્રીનિધાનશ્રીજી નામ આપ્યું. તે પછી વિ. સ’. ૧૯૩૮માં પલાંસવામાં મોટા મહાત્સવપૂર્વક ચારદીક્ષાએ આપી. ત્યાંને તે પ્રસંગ અને શાસન–પ્રભાવના આજે પણ અમર છે. મડ઼ાત્સવમાં હજારા રૂપૈયાને સદ્વ્યય થવા ઉપરાંત આજુબાજુના અનેક ગામાની અઢારે વર્ણીતી પ્રજાએ તથા ગામગામના જાગીરદારાએ પણ એ દીક્ષાઓની અનુમેદના-પ્રશ'સા કરી પોતાના આત્માને પવિત્ર કર્યા હતા. એ ચાર પૈકી પલાંસવાના જ રહીશ એ ભાઇ એ ચંદુરા હરદાસ અને કાહારી જોઇતાભાઇ ને દીક્ષા આપી અનુક્રમે મુનિશ્રી હીરવિજયજી અને મુનિશ્રીવિજયજી નામ આપ્યાં હતાં. આ મુનિશ્રી હીરવિજયજી એ જ વર્તમાન પૂ. આચાર્ય મહારાજ શ્રીવિજયકનકસુરીશ્વરજી મહારાજ વગેરેના ગુરુ. એ બાઈ એ કે જેઓને ઉલ્લેખ ઉપર કરી ગયા તે કુમારિકાએ અંદરબહેન તથા ગંગાબહેનને દીક્ષા આપી અનુક્રમે સાધ્વી શ્રી આણુ શ્રીજી તથા સાધ્વીશ્રી જ્ઞાનશ્રીજી નામ આપ્યાં હતાં. તે પછી વિ. સ. ૧૯૪૯ જેઠ સુદ ૧૦ રાજનગરમાં પ્લાંસવાના રહીશ કાઠારી વાલજીભાઈ ને દીક્ષા આપી મુનિશ્રી વીરવિજયજી નામ આપ્યું. વિ. સં. ૧૯૫૩ના વૈશાખ સુદ ૧૫ના રોજ ચેટીલાના રહીશ કુમારિકા મણીબહેનને વિજાપુરમાં દીક્ષા આપી,
SR No.032187
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijaykanaksuri
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1960
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy