________________
૧૨
પૂ. શ્રી જૂઠાભાઈ
વિક્રમ સંવત ૧૯૪૪ – વ. ૩૬, ૩૭, ૪૦ વિક્રમ સંવત ૧૯૪૫ - વ. ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૯, પ૩,
પ૪, ૫૫, પ૬, ૫૭, , ૬૦, ૬૫, ૬૯, ૭૨,
૭૩, ૭૪, ૭૫, ૭૬, ૮૦, ૮૧ વિક્રમ સંવત ૧૯૪૬ - વ. ૮૪, ૮૫, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૮, ૧૦૩,
૧૦૪, ૧૧૪ તદુપરાંત વચનામૃત ૫, ૮, ૨૧, ૨૩, ૨૪, ૨૫ પૂ.શ્રી સત્યપરાયણને મોરબી મળવું થયું ત્યારે પ.ક.દેવે આપ્યા હતા.
- હવે એ મળેલા વારસાને સાચવીએ, તેના ઉપભોગી થઈએ, તેને વર્તનમાં અંશે પણ લાવીએ એ જ મુમુક્ષુપણાની સાર્થકતા છે.
શ્રી કૃપાળુદેવને ઓળખી શકનારા એ સાચા ઝવેરી હતા અને આપણને સાચા ઝવેરી બનવા વચનામૃતરૂપી અજવાળાં આપણા માટે પાથરતા ગયા.
શ્રી સત્યપરાયણજીના આ ઋણનો સ્વીકાર કરી, અષાઢ સુદ ૯, એમની પુણ્યતિથિ નિમિત્તે, પ્રેમભક્તિ સમેત, પાદાવિંદમાં નમસ્કાર કરી, તેમને વિનયઅંજલીરૂપે આ લઘુ પુસ્તિકા સાદર અર્પણ કરીએ છીએ.
- અમો છીએ આપના શ્રી સ્વંભતીર્થવાસી મુમુક્ષુજનો