________________
પ્રાસંગિક કથન
સં. ૨૦૨૨ ભાદ્ર શુક્લપક્ષ સપ્તમી
બુધવાર તા. ૨૧/૯/૬૧ સંવત્સરી દિને સવારે સ્વાધ્યાયમાં શ્રી વચનામૃતમાંથી પ્રભુમુદ્રાનું અવલોકન કરતાં, પત્રાંક ૯૪૬ પ્રજ્ઞાવધ'ની સંકલના શીર્ષકના શિક્ષાપાઠો પર દષ્ટિ કરતાં એક વિચાર સ્ફરતાં અંતરમાં આનંદ અને પ્રસન્નતા વેદાય કરી. એ વિચાર તે એ કે પ્રજ્ઞાબેધના દશિત કરેલા પ્રત્યેક શિક્ષાપાઠનું શીર્ષક લઈ તે શિક્ષાપાઠમાં તે શીર્ષકને અનુસરતા જે ભાવે, અમૃતસાગરરૂપ આખા વચનામૃતમાંથી લક્ષમાં આવે તે ભાવે તે પાઠમાં દર્શાવવા. એ પ્રમાણે સંકલિત કરવાને એક માત્ર ઉદ્દેશ વચનામૃતનું તે સ્વરૂપે અવલોકન કરવાને, વૃત્તિ તેમાં જોડાઈ રહે તે જ હાઈ સ્વપ્રજનાથે જ તેનું આલેખન કરવું એમ દષ્ટિ થવાથી તેમ આલેખવા પ્રયત્ન કર્યો.
કયાં સુધી પ્રયત્નશીલ રહેવાશે તે નિશ્ચિત નહતું પરંતુ આ ફુરણું તે સ્વહિતા હોવાથી પ્રભુકૃપા સમજુ છું. આદથી અંત સુધીમાં, ગમે ત્યાંથી વચને અને કાવ્યપંક્તિઓ લેવાયાથી કદાચ કઈને અનુરૂપ કે યોગ્ય ન લાગે તે સ્વાભાવિક છે. છતાં કોઈ ક્ષતિ થઈ હોય તે પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે વિનમભાવે ક્ષમ ભાવે પ્રયાચના.
» શાંતિ : માહ સુદ ૫ (વસંતપંચમી) સંવત-૨૦૩૯
સંકલનકાર : તા. ૧૯/૧/૮૩ બુધવાર
સંઘ સેવક ખંભાત
ભોગીલાલ જગજીવનદાસ શાહ