________________
ચૈત્રી પુનમ દિવસે એહ, પામ્યા કેવળજ્ઞાન અહ, શિવ સુખ વરિયા અમર અદેહ પુરણાનંદીરે અગુરુલઘુ અવગાહ, અજ અવિનાશીરે નિજ પદ ભોગી અબાહ, નિજ ગુણ ધરતરે પર પુગલ નહિ ચાહ વીરજી ૪
તેણે પ્રગટયું પુંડરિકગિરિ નામ, સાંભળો સોહમ દેવલોક સ્વામ; એહને મહિમા અતિહિ ઉઠ્ઠમ, તેણે દિન કીજરે તપ જપ પૂજા ને દાન, વ્રત વળી પિસહ જેહ કરે અતિ દાન, ફળ તસ પામેરે પંચ કેડી ગણું માન. વિરજી. ૫
ભગતે ભવ્ય જીવ જે હોય, પંચમે ભવ મુક્તિ લહે સેય તેહમાં બાધક છે નહી કેય, વ્યવહાર કરીને મધ્યમ ફળની એ વાત, ઉત્કૃષ્ટ વેગેરે અંતમુહૂર્ત વિખ્યાત, શિવસુખ સાધેરે નીજ આતમ અવદાત.
વીરજી ૬ ચૈત્રી પુનમ મહિમા દેખ પૂજા પંચ પ્રકારી વિશેષ તેહમાં નહી ઉણમ કાંઈ રેખ, એણે પેરે ભાખરે જિનવર ઉત્તમ વાણ, સાંભળી બુઝયારે કંઈક ભાવીક સુજાણ, એણે પેરે ગાયોને પદ્મવિજય સુપ્રમાણ.
વીરજી ૭