________________
ધરા ત્રિગડે જિન બેઠા, સહિએ સુંદર રૂપે, તસ વાણું સુણવા આવી પ્રણમે ભૂપ; વાણી જનની, સુણજે ભવિયણ સાર; તે સુણતાં હશે પાતિકનો પરિહાર, પાય રૂમઝુમ રુમઝુમ ઝાંઝર ઝમકાર; પદ્માવતી પેલે પાર્વતણે દરબાર સંઘ વિન હરજે કરજો જય જયકાર; એમ સોભાગ્ય વિજય કહે સુખ સંપતિ દાતાર.
૫૦ પાર્શ્વનાથનું સ્તવન. સ્તંભનપુરના પાર્થ પ્રભુના મહિમાનો નહી પાર, પ્રભુના મહિમાનો નહી પાર. મૂરતિ દીઠી મોહનગારી, ભાના મનડા હરનારી, શોભા અપરંપાર. પ્રભુના મુખડું દીપે પુનમ ચંદા, દરિશન કરતાં પરમાનંદા, પામે જ્ઞાન અપાર. પ્રભુના કસ્તુરી શમ શ્યામ શરીર, સાગર સમ ગંભીર ધીર; શાન્તિના સાગાર. પ્રભુના પ્રભાત સમયે દરિશન કરતાં, કાળ અનાદિ કષ્ટો હરતાં તેજ તણું ભંડાર. પ્રભુના નેમિઅમૃત પદ પુન્ય પામી, ધર્મ ધુરન્ધર જીવ વિશરામી, વંદુ વારંવાર, પ્રભુના