________________
दीधिति: १९
જ પડે. પણ હવે એ આપત્તિ આવવાની નથી.
:
પૂર્વપક્ષ ઃ તો પણ ‘સંયોગવાન્ ગુણકર્માન્યત્વાત્’માં અતિવ્યાપ્તિ આવશે. અહીં સંયોગ તો અવ્યાપ્યવૃત્તિ જ છે. એટલે ત્યાં ગુણકર્મભિન્નત્વ એ દ્રવ્ય+જાત્યાદિ ૪માં મળે. એમાંથી જો દ્રવ્ય લો. તો તેમાં તો સમવાયસંબંધથી સંયોગ છે જ. એટલે સમવાયાવચ્છિન્ન એવી દ્રવ્યાધિકરણતાનિરૂપિતવૃત્તિતા તો સંયોગમાં છે જ. એટલે સંયોગાભાવ ન લેવાય અને જાત્યાદિમાં તો કોઈ સમવાયથી રહેતું જ ન હોવાથી તેમાં સમવાયથી અવચ્છિન્ન એવી અધિકરણતા મળતી જ નથી. એટલે ત્યાં પણ સંયોગાભાવ ન લેવાય. એટલે હવે તો હેત્વધિકરણપર્વતાદિમાં સમવાયથી પર્વતત્વ રહે છે. એટલે સમવાયાવચ્છિન્ન એવી અધિકરણતા પર્વતમાં છે. તેનો નિરૂપક ઘટ તો ન બને. અને તેથી તાદશાધિકરણતાની નિરૂપકતાનો અનવચ્છેદક એવો ઘટત્વ એ જ પ્રતિયોગિતાવચ્છેદક છે જેનો એવો ઘટાભાવ મળે છે, અને તેથી તે અભાવ લેવાય. તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક સંયોગત્વ બની જતા અતિવ્યાપ્તિ આવે જ. અહીં જો માત્ર ‘ગુણાન્યત્વ’ લખે, તો તે હેતુ તો કર્મ પણ બને અને તેમાં સમવાયથી જાતિ રહેતી હોવાથી સમવાયથી અવચ્છિન્ન એવી કર્મનિષ્ઠ-અધિકરણતા મળે. તેની જાતિમાં રહેલી નિરૂપકતાનો અનવચ્છેદક સંયોગત્વ મળી જાય. અને તેથી સંયોગાભાવ જ લેવાતા અતિવ્યાપ્તિ ન આવે. એ રીતે કર્માન્યત્વ જ લખે, તો ગુણને લઈને સંયોગાભાવ લક્ષણઘટક બનાવી શકાય માટે ત્યાંય અતિવ્યાપ્તિ ન આવે. માટે ગુણકર્માન્યત્વ લખેલ છે. એટલે ગુણકર્માન્યત્વવાળા જાત્યાદિમાં તો સમવાયથી કોઈ રહેતું જ ન હોવાથી સા.અ.ક. સમવાયાવચ્છિન્ન એવી અધિકરણતા જ તેઓમાં ન મળતા ત્યાં સંયોગાભાવ ન લેવાય. અને ગુણકર્માન્યત્વવાળા દ્રવ્યમાં સમવાયથી સંયોગ રહેતો જ હોવાથી ત્યાં પણ સંયોગાભાવ ન લેવાય. માટે અતિવ્યા. આવે છે.
અદ્રવ્ય હેતુમતિ... એ દીદ્ધિતિપંક્તિમાં જો ‘હેતુમતિ’ પદ ન મુકે તો અદ્રવ્ય એવા ગુણાદિમાં તો સમવાયથી વૃત્તિતા પ્રસિદ્ધ છે. માટે, ‘હેતુમતિ’ પદ છે. ગુણ+કર્મ એ હેતુમાન્ નથી. પણ જાત્યાદિ જ લેવાય. એટલે તેમાં સમવાયથી વૃત્તિ=રહેનાર અપ્રસિદ્ધ હોવાથી એ વાત ઘટી જાય.
અહીં કાલિકેન ઘટવાન્ સ્વરૂપેણ મહાકાલત્વાત્ એ સ્થાને અવ્યાપ્તિ આપનાર પૂર્વપક્ષ પુરો થયો.
जगदीशी - अत्र 'विशिष्टनिरूपिताधेयत्वस्यातिरिक्तत्वोपगमे - स्वप्रतियोगितावच्छेदकावच्छिन्नत्व-साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वो भयाभाववद्धेत्वधिकरणयत्किञ्चिद्व्यक्तिवृत्तित्व-सामान्यकत्वस्य हेतुमन्निष्ठाभावे विवक्षणात्, नोक्तदोष' इत्यस्मद्गुरुचरणाः ।
चन्द्रशेखरीया : तस्य पूर्वपक्षस्य समाधानं दीधित्यां ग्रन्थकारः करोति । किन्तु तत्पूर्वं स्वगुरूचरणाः नवीनाश्च यत्समाधानं कुर्वन्ति, तज्जगदीशः प्रतिपादयति " अत्र विशिष्टनिरूपिताः" इत्यादिना । जगदीशगुरुचरणः इत्थं समाधानमभिदधाति - विशिष्टनिरूपिताधेयता शुद्धनिरूपिताधेयताभिन्नैव इति सार्वभौममतम् । तथा च स्वप्रतियोगितावच्छेदकावच्छिन्नत्व-साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नत्वोभयाभाववत् हेत्वधिकरणीभूत-यत्किंचिद्व्यक्तिनिरूपितवृत्तितासामान्यं यस्य (स्वपदग्राह्यस्याभावस्य) स एव लक्षणघटक:
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૭ ૧૧૩