________________
दीधितिः१३
છેપૂર્વપક્ષ: નિત્યવૃત્તિત્વવિશિષ્ટ એવા ગગનાભાવનો જે અભાવ, તેનો અભાવ એ નિત્યત્વવિશિષ્ટગગનાભાવ સ્વરૂપ ન મનાય. કેમકે જો તેમ માનો તો ગગનાભાવાભાવાભાવ= નિત્યત્વવિશિષ્ટગગનાભાવાભાવાભાવ રૂપ જ ગણાય. અને એ ગગનાભાવાભાવાભાવ=ગગનાભાવ એ તો કેવલાન્વયી છે. હવે વિ.ગગનાભાવાભાવાભાવ એ વિ.ગગનાભાવ રૂપ માનીએ તો તો શુ.ગગનાભાવ+વિ.ગગનાભાવ એક જ હોવાથી જેમ "ઘટે ગગનાભાવસ્યાભાવો નાસ્તિ" એવી પ્રતીતિ થાય છે. તેમ "ઘટે નિત્યવૃત્તિત્વવિશિષ્ટસ્ય ગગનાભાવસ્યાભાવો નાસ્તિ" એવી પ્રતીતિ થવાની આપત્તિ આવે. તે નિવારવા માટે વિ.ગગનાભાવાભાવાભાવ એ નિત્યત્વાદિરૂપ જ માનવો. અને એમ માનીએ એટલે ગગનાભાવાભાવાભાવ=ગગનાભાવ અને વિ.ગગનાભાવાભાવાભાવ= નિત્યતાદિ જુદા જ હોવાથી વિ.ગગનાભાવાભાવ એ શુદ્ધગગનાભાવનોકગગનાભાવાભાવભાવનો પ્રતિયોગી જિ ન બને. પણ માત્ર ગગન જે પ્રતિયોગી બને. અને સ્વરૂપસંબંધમાં તો ગગનાભાવપ્રતિયોગિગગનપ્રતિયોગિકત્વ
નથી જ. કેમકે ગગન કશું પણ સ્વરૂપથી રહેતું જ નથી. નિત્યવૃત્તિત્વવિ.ગગનાભાવનો અભાવ એ ઘટાદિમાં રહેતો હતો. એટલે ગગનાભાવ લક્ષણઘટક બની જતા અતિવ્યાપ્તિ આવે. કે પ્રશનઃ ભલે પણ અમે બીજી વાત એ કરી જ છે કે ગગનાભાવ એ પોતે જ ગગનાભાવનો પ્રતિયોગી બને છે. કેમકે ગગનાભાવગૂગનાભાવનો સંયોગથી અભાવ એક જ છે. અને એ ગગનાભાવ તો સ્વરૂપથી રહે જ છે. એટલે સ્વરૂપસમાં ગગનાભાવપ્રતિયોગિગગનાભાવપ્રતિયોગિકત્વ છે જ. એટલે ગગનાભાવપ્રતિયોગિસામાન્ય પ્રતિયોગિકત્વનો અભાવ નથી અર્થાત્ ગગનાભાવના તમામે તમામ પ્રતિયોગીઓ એ સ્વરૂપથી કશું રહેનારા નથી એવું નથી બનતુ. [પ્રતિયોગિસામાન્યપદ છે. એ ન લખે તો ગગનાભાવપ્રતિયોગિગગનપ્રતિયોગિત્વનો અભાવ તો મળી જ જવાનો. ઇત્યાદિ સ્વયં વિચારવું] આમ ઉભય જ મળી જતાં ગગનાભાવ પણ લેવાતો નથી. તેથી અતિવ્યા. આવતી જ નથી. તો આ પૂર્વપક્ષે શી રીતે અતિ.વ્યા. આપી? એ સમજાતું નથી.
સિદ્ધાન્ત લક્ષણ ભાગ-૧
ક્રમશ:
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ”ચન્દ્રશેખરીયા’ નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૯ ૨૩૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀