________________
સત્સંગ-સંજીવની
૩
नमो अरिहंताणं नमो सिद्धाणं
नमो आयरियाणं
नमो उवज्झायाणं
नमो लोए सव्वसाहूणं एसो पंच नमक्कारो
सव्व पावप्पणासणो
मंगलाणं च सव्वेसिं
पढमं हवइ मंगलं ।
नमो जिणाणं जिद् भवाणं
‘જેની પ્રત્યક્ષ દશા જ બોધરૂપ છે, તે મહત્ત્પુરુષને ધન્ય છે.
જે મતભેદે આ જીવ ગ્રહાયો છે, તે જ મતભેદ જ તેના સ્વરૂપને મુખ્ય આવરણ છે. વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષુતા કેમ ઉત્પન્ન થાય ? સમ્યક્ જ્ઞાન ક્યાંથી થાય ? સમ્યક્ દર્શન ક્યાંથી થાય ? સમ્યક્ ચારિત્ર ક્યાંથી થાય ? કેમકે, એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હોતી નથી. વીતરાગ પુરુષના અભાવ જેવો વર્તમાનકાળ વર્તે છે. હે . મુમુક્ષુ ! વીતરાગપદ વારંવાર વિચાર કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે.’’
હાથ નોંધ – ૨ – ૫.
ચિદ્ધાતુમય, પરમશાંત, અડગ, એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક
પુરુષાકાર ચિદાનંદઘન
તેનું ધ્યાન કરો.
હાથનોંધ - ૧ - ૨૬