________________
O GERS સત્સંગ-સંજીવની કુકી
)
V
પત્ર-૬૬
-૧-૧૮૯૬, સંવત ૧૯૫૨ સરૂદેવને ત્રિકાળ નમસ્કાર. પરમ પૂજ્ય આત્માર્થી અંબાલાલ લાલચંદ તથા કીલાભાઈ વિગેરે. ગામ વઢવાણથી કંગાળ અલ્પજ્ઞ વણારસી તલસી તથા તલકચંદ પિતાંબરના નમસ્કાર, પવિત્ર સેવામાં અંગીકાર કરશો.
તરણ તારણ કૃપાળુ સિંધુ શુક્રવારના દિને મેલમાં બેસી મોરબી પધાર્યા છે. ત્યાં દિવસ આઠ રહી શ્રી વવાણીયે સ્થિરતાનો સંભવ છે. અમે પણ લીંમડીથી બેસી સૌ ભાઈ કાંપમાં ગયા હતા. તે આપને જણાવા લખું છું. કૃપાળુનાથ વવાણીયા રોકાવાના છે. એવા પુરૂષના દર્શન થવા દુર્લભ છે, મણિરત્ન તો કોક ઠેકાણે હોય છે. તો તેનો અનુભવ હજી લેવાતો નથી. આ જીવ હજુ માર્ગાનુસારી પણ થયો નથી. એ જ વિનંતી. . . . .
અનન્ય શરણના આપનાર એવા જે સદ્ગુરૂદેવને ત્રિકાળ અત્યંત ભક્તિથી નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર હો !
તમારી તરફ પરમ દેવાધિદેવ પધારવાના છે તો અમને અગાઉ ખબર આપશો, એટલી આ કંગાળ જીવ ઉપર કૃપા કરશો. હાલ તમે શું વાંચો વિચારો છો ? જગતમાં વાંચવા વિચારવાનું આરાધવાનું “સ” જ છે. આ મનની વૃત્તિ તેમાં જ લય કરવી ઘટે છે. એજ આ જીવનું કર્તવ્ય છે. માટે મનનો નિગ્રહ થયો તેને નમસ્કાર છે. લિ. અનાથ કંગાળના જય વીર વંદન સ્વીકારશોજી.
કોઈ પણ
પત્ર-૬૭
સંવત ૧૯૫૫ પ્રગટ શ્રી ગુરૂદેવ પ્રભુજીને ત્રિકાળ નમસ્કાર હો !
પરમ પૂજ્ય પવિત્ર આત્મા ગુણધર પરમ પવિત્ર પરમજ્ઞાની મહારાજા કૃપાળુની પરખેલી મણી શ્રી અંબાલાલભાઈ પ્રત્યે, શ્રી ખંભાત.
સેવામાં વિનંતી કે પરમ ગુરૂદેવ પ્રભુજીએ મને ફરીથી પત્ર પરમકૃપાથી લખ્યો. તેમાં તે બાપાજીની આજ્ઞા નીચે મુજબ છે :
“સંસ્કૃતભાષાનો અભ્યાસ બની શકે એવા સાધનની તમને કંઈ અનુકૂળતા હોય તો તે પ્રવૃત્તિ કરવી યોગ્ય છે. તત્વાર્થ સૂત્રની પ્રત તમારી પાસે હોય તો વારંવાર તેનું અવલોકન અને અનુપ્રેક્ષણ હાલ કર્તવ્ય છે. જો તે પ્રત ન હોય તો ઘણું કરી શ્રી અંબાલાલ પાસે હશે. . . .”
તો તે વિષે આપની સેવામાં અતિ નમ્રતાથી વિનંતી કરું છું કે તે ભાષાનો અભ્યાસ બનવો આ સેવકને દુષ્કર છે. પણ કદાપિ તુમ કૃપાથી બને તો તે ભાષા શીખવામાં અનુકૂળ અને સહેલું પડે. એવો ક્યો ઉપાય હશે ? તે જણાવવા આ દીનને કૃપા કરશો.
મોક્ષમાર્ગ પ્રકાશ’ ગ્રંથ મોકલવા આપે પરમ કૃપા કરી. તેમાં રૂપિયા અઢી ત્યાં લેવા લખ્યું તે ઠીક જ કર્યું છે. માર્ગોપદેશિકા ગ્રંથ લાવવા અત્રેનાએ કહ્યું છે તો તે અનુકૂળ હોય તો કૃપા કરશો. તત્વાર્થસૂત્ર સોબત
૨૭૭