SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ SERS SMS સત્સંગ-સંજીવની SER SR SEC) *** આધિ, વ્યાધિ જરા અને મૃત્યરૂપી સેંકડો જ્વાળાઓથી આ સંસાર આકુળ વ્યાકુળ, આ સર્વ પ્રાણીઓને દેદીપ્યમાન અગ્નિ સમાન શ્રી મહાત્મા જ્ઞાની પુરૂષ સર્વજ્ઞ દેવે કહ્યો છે. તેથી જીવને લેશમાત્ર પણ પ્રમાદ કરવો યોગ્ય નથી અને સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં જંતુઓને ઉત્તમ જહાજની પેઠે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. વળી પરલોકનું સાધન કરવાથી પ્રાણીઓનો મનુષ્યજન્મ સફળ થાય છે. આ જગતના પ્રથમ મધુર અને પછી પરિણામે અત્યંત દારૂણ વિષયો વિશ્વને ઠગનારા છે. (શેઠ લોકોની વાણીની પેઠે.) તેમ વળી સંસારની અંદર સર્વ વર્તતા પદાર્થોના સંયોગનો અંતે વિયોગ છે. તેમ આ સંસારમાં પ્રાણીઓને આયુષ્ય, ધન, યૌવન, એ સર્વ નાશવંત ત્વરાથી જવાના છે. ચાર ગતિમાં કદાપિ સુખ નથી તે નથી જ. આ જીવને સમ્યક્ શ્રદ્ધા બહુજ દુર્લભ છે. મહાપુન્યના યોગે તેવો યોગ પ્રાપ્ત થયો છે. શાસ્ત્રોક્ત તત્વમાં રૂચી તે સમ્યક શ્રદ્ધા કહેવાય છે. તે શ્રદ્ધા સમકીત, સ્વભાવથી અને ગુરૂના ઉપદેશથી પ્રાપ્ત થાય છે. તો - આ અનાદિ અનંત સંસારના આવર્તમાં વર્તતા પ્રાણીઓને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય નામના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોટાકોટી સાગરોપમની છે. નામ અને ગોત્ર કર્મની સ્થિતી ૨૦ સાગરોપમ કોટાકોટી છે અને મોહનીય કર્મની સ્થિતી ૭૦ કોટાકોટી સાગરોપમની છે. અનુક્રમે ફળના અનુભવની તે સર્વ કર્મો જેમ પર્વતમાંથી નીકળેલી નદીમાં અથડાતો અથડાતો પથ્થર ગોળ થઈ જાય તે ન્યાયતંત પોતાની મેળે પૃથ્વીકાયાદિ પામે છે એ પ્રમાણે થતાં કર્મની અનુક્રમે ૨૯, ૧૯, ૬૯ કોટાનુંકોટી સાગરોપમ સુધીની સ્થિતિ ક્ષય પામે અને દેશ ઉણી એક કોટાકોટી સ્થિતી બાકી રહે ત્યારે પ્રાણી યથાપ્રવૃત્તિ કરણ વડે ગ્રંથી દેશને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષના પરિણામ તે ગ્રંથી કહેવાય છે કે જે કાષ્ટની ગાંઠ જેવી દુરચ્છેદ અને ઘણી દઢ હોય છે. કિનારા સમીપે આવેલું વાયુ પ્રેરિત વહાણ જેમ સમુદ્રમાં પાછું જતું રહે તેમ રાગાદિકે પ્રેરેલા કેટલાક જીવો ગ્રંથીને ભેદ્યા વિના જ ગ્રંથી સમીપથી પાછા ફરે છે. કેટલાક પ્રાણીયો માર્ગમાં અલના પામેલા સરિતાના જળની પેરે કોઈ પ્રકારના પરિણામ વિશેષથી ત્યાં જ વિરામ પામે છે. કોઈ પ્રાણીઓ જેમનું ભવિષ્યમાં ભદ્ર થવાનું હોય છે તેઓ અપૂર્વકરણ વડે પોતાનું વીર્ય પ્રગટ કરીને મોટા માર્ગને ઉલ્લંઘન કરનારા પાંથલોકો જેમ ઘાટની ભૂમિનું ઉલ્લંઘન કરે છે તેમ તે દુર્લભ ગ્રંથીને તત્કાળ ભેદી નાખે છે. કેટલાક ચાર ગતિવાળા પ્રાણીઓ અનિવૃત્તિકરણ વડે અંત:કરણ કરીને મિથ્યાત્વને વિરલ કરી અંતમુહૂર્તમાં સમ્યક્દર્શનને પામે છે તે નૈસર્ગિક સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે. તે સમકિતદર્શન ગુણથી રોચક, દીપક અને કારક એવા નામથી ત્રણ પ્રકારનું છે. પત્ર-૩૦ ૐ સત્ શ્રી ભગવને વિષે હું અખંડ પ્રેમ ઈચ્છું છું. તે ભગવાનની કૃપા જ દાસત્વની પ્રાપ્તિ હોવી એ જ ઈચ્છું છું. કારણ કે હું તેનો અંશ જ છું. અને તેમ હોવાને યોગ્ય છઉં. તે પરમ અચિંત્ય હરીને ફરી ફરી હું સ્તવું છઉં સ્મરું છઉં કે જેનું એક અંશજ્ઞાન પણ સર્વપ્રકારની બ્રાન્તીને હરે છે. તે શ્રી ઈશ્વરના ચરણકમળના નખ અમૃત ધોઈ અનંત અનંત વિશિષ્ટ હું સ્પર્શ એજ તેણે મેળવ્યાનું સાર્થક માનું છઉં. સર્વત્ર તે શ્રી ઈશ્વરની સત્તા પ્રકાશે છે કે જેનો આનંદ રૂપે વાસ છે. તે સર્વત્ર ભરપૂર છે. અનંત અનંત વૈભવવાળી તે સત્તાનું ભાન એક ક્ષણમાં થાય છે. એવી દુર્ઘટ રચના કરનાર શ્રી હરિને હૃદયને વિશે ફરી ફરી હું સંભારૂ છઉં. એવી અવ્યક્ત મધ્યસ્થિતિને વિષે અક્ષરધામરૂપ, અર્ધચંદ્રાકાર, અમૃતપ્રવાહીત સહસ્ત્રદલને વિષે તે શ્રીમાન્ હરિની અખંડ મૂર્તિ અચિંત્યપણે વિરાજીત છે. ફરી ફરીને અનંતવાર કહીએ છીએ કે તે છે જ. એવો અમારો અચળ નિશ્ચય છે. રોમે રોમે અનંત ૨૧૫
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy