SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ SિS RSS RSસત્સંગ-સંજીવની SREESA) () લીઃ દર્શનની અભિલાષા રાખનાર દીનદાસ નવલચંદ ડોસાના સાષ્ટાંગ નમસ્કાર | પત્ર-૧૦૫ ભાદરવા, ૧૯૫૫ પરમકૃપાળુ વીતરાગ દેવને ત્રિકાળ નમસ્કાર. પરમ પવિત્ર, પરમકૃપાળુ, અનંત દયાળુ, અશરણને શરણના રાખનાર, અનાથના નાથ, મહાજ્ઞાની, મહાધ્યાની, વર્ધમાન પરિણામી, તરણતારણ, નાવિક સમાન, જિનશાસનના શણગાર, જિનશાસનના નાયક, મહાવૈરાગી, કલ્પવૃક્ષ સમાન, હે પ્રભુ, આપનું જ્ઞાન અનંતુ છે. પણ આ બાળકની તુચ્છબુધ્ધિથી લખી શકાતું નથી. કલ્લોલથી લિઃ બાળક ઉગરીના સમયે સમયે નમસ્કાર, ત્રિકાળ નમસ્કાર સ્વીકારશોજી એવી આશા છે. જત આપ પ્રભુને એક પત્ર શ્રી અમદાવાદથી તથા એક પત્ર કલ્લોલથી લખ્યો હતો. તે પહોંચ્યો હશે ? હે નાથ, કૃપાદૃષ્ટિ કરી પત્ર દ્વારે દર્શન આપશોજી. હે કૃપાળુ નાથ ! આ દીન છોરૂ ઉપર લગાર દૃષ્ટિ કરી ચરણ સમીપ રહેવા આજ્ઞા કરશો. જેથી ઘણા વખતથી દર્શનનો લાભ આ બાલિકાને મળ્યો નથી તેથી વિયોગનો ઘણો ખેદ રહ્યા કરે છે માટે દયા લાવીને શરણે પડેલી બાલિકાને સમીપ રાખવા આજ્ઞા કરશો. ' હે પ્રભુ, આપના દર્શનની ઇચ્છા મારી માતુશ્રીને ઘણી રહ્યા કરે છે. તે આપ કૃપાદૃષ્ટિ કરી આ બાલિકાની ઉપર દયા લાવી આજ્ઞા હોય તો મારી માતુશ્રીને તેડીને આપના ચરણકમળની સેવામાં આવીને રહું. ઓ વ્હાલા પ્રભુ ! નાથ ! મહેર કરીને છોરૂ ઉપર નજર કરશોજી. અરેરે, આપ પ્રભુજી પધાર્યા છતાં આ બાળકને વિયોગ ઘણો પડયો છે. પૂર્વિત કર્મનો દોષ. હે કૃપાળુનાથ ! મારા જેવા મૂઢને તો વારંવાર સગુરૂના વચનરૂપી પ્રહાર જોઇએ કે જેથી કુટીલતાપણું ઘટે. હે નાથ ! વધારે શું લખું ? આપ પ્રભુનું કાંઇ અછાનું નથી. હે નાથ ! દયા લાવી આપની સમીપમાં છોરૂને રાખશો. એ જ વારંવાર અરજ કરું છું. આ છોરૂની આટલી અરજ ધ્યાનમાં લેશો. આપને સ્ત્રી પુરૂષ સર્વે સરખાં છે. કોઇ પ્રકારે અવિનય, અશાતના, અભક્તિ થઇ હોય તો ક્ષમા માગું છું એ જ અરજ. પત્ર-૧૦૬ તા. ૩૦-૮-૯૭ અમદાવાદ શ્રીમદ્ સદ્ગુરૂ દેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીને ત્રિકાળ નમસ્કાર હો ! મહાન પ્રભુજી, દીનદયાળ, અશરણને શરણ આપનાર એવા સદ્દગુરૂ, છકાયના નાથ, અનંતજ્ઞાની, અનંતધ્યાની, અનંત દર્શી, અનંત ચારિત્ર, આંધળાને લાકડીવતું, અજ્ઞાનના નિવારણહાર, તરણતારણ સફરી જહાજ સમાન એવા અનેક ગુણે કરી સહીત પરમાત્મા સરૂની પવિત્ર સેવામાં : - અમદાવાદથી લિ. ઘણા દિવસની વિયોગી દાસીના નમસ્કાર સ્વીકારશોજી. જત આપના પવિત્ર હસ્તનો પરમ પત્ર મલ્યો છે. હે કૃપાળુનાથ ! ઘણા દિવસનો દર્શનનો વિરહ તો હવે ખમી શકાતો નથી. કૃપા કરી દર્શન દો, દર્શન દો. આપ કૃપાળુ નાથને શરણે પડેલી દાસીનું અત્યંત અસત્ ૧૦૬
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy