________________
O GR GIR SR SYS સત્સંગ-સંજીવની SHGHEEKS
વાંચવામાં આવ્યું નથી....... એકેંદ્રિયથી અસંજ્ઞી પંચેંદ્રિય સુધી કષાય કઈ રીતે પ્રવર્તે છે, અવ્યક્ત છતાં પ્રવર્તવું થાય છે તે પણ કેટલેક અંશે આ ગ્રંથો બતાવે છે.
તેમજ આત્માના અધ્યવસાય કઇ રીતે પ્રવર્તે છે તે પણ કેટલીક રીતે સમજાય છે. આ બે ગ્રંથો એકબીજાને કેટલીક રીતે મળતાપણું ધરાવે છે. વળી કોઇ બાબત બીજામાં વિશેષ પરંતુ વિરોધ હજુ સુધી આવ્યો લાગતો નથી. આ બે ગ્રંથો વાંચતાં પૂર્વે જે કેટલીક માન્યતા કરી બેઠેલ તેમાં ફેરફાર થયો છે. આ બન્ને ગ્રંથો અપૂર્વ છે.
લી. અલ્પજ્ઞ બાળક કેશવલાલ નથુભાઇના સહજાત્મસ્વરૂપે સવિનય વંદના (જવાબ વ. ૮૪૦)
પત્ર-૯૫ શ્રી સદ્ગુરૂદેવ રાજ્યચંદ્રજી કરૂણાસાગરને પુનઃ પુનઃ અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! મું. મુંબાઈ બંદર
લીંબડીથી લી. આપનો શિષ્ય મનસુખ દેવશીના પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશો. આપનો પત્ર મળ્યો છે, તે વાંચી દર્શનનો લાભ થયો છે. આપ કૃપાળુનાથે મારા ઉપર અત્યંત કૃપા કરી છ પદના કાગળ વિષે ભલામણ કરેલી તે જેઠ પેલા માસમાં તે મોઢે કર્યો હતો. ત્યાર પછી દિવસમાં ઓછામાં ઓછા એક વખત મોઢે ફેરવું છું. ને વિચાર કરતાં દન ફરતે વધારે ફુરણા ઉત્પન્ન થાય છે. તે મારા મુરબ્બીભાઇ કેશવલાલભાઇએ મારા યોગ્ય સમજુતી આપી હતી અને તે છ પદ વિષે વારંવાર વિચાર કરતાં અદ્ભુત વાત બતાવી છે તેવું મને લાગે છે, અને તે વિષે વધારે વિચાર કરવા ધારું છું. અને છ પદમાં આત્માની સ્પષ્ટ દઢતા બતાવી છે તે છ પદથી સિધ્ધ છે જે આત્મસ્વરૂપ અને ભક્તિ વિષે જે જે બોધ આપ્યો છે તે અત્યંત મારા જેવાને દ્ધયમાં કોતરી રાખવા યોગ્ય છે અને છેવટ કેવળજ્ઞાન વિષેનું લખ્યું છે તે યથારથ. તે સત્ છે તે બાબત શ્રી પેટલાદ સમજાવવામાં આવ્યું હતું તેજ પરમાણે સત્ છે. આપ પ્રભુના પત્ર ચાર (સં. ૧૯૪૮) એકમાસ થયા મોઢે કર્યા છે. ..
રાત્રે માળા સહજાત્મસ્વરૂપ શ્રી સદ્ગુરૂ સ્વામિની ગણું છું. તેટલો વખત હંમેશ લઉં છું. સહજાત્મસ્વરૂપ સ્વામિનું સ્મરણ ચાલતા બેસતાં બને છે પણ તેમાં આપ સદ્ગુરૂદેવનાં ખબર આવે અથવા આપ વિષેની વાતચિત ચાલતાં તે વખતે વધારે સ્મરણ રહે છે. આપ પ્રભુનો શ્રી રાળજનો બોધ સ્મરણ આવે છે તે વિચારવાથી ઘણોજ લાભ થાય તેવું મને લાગે છે. ....... આપ પરભુનાથ પાસે વઢવાણ કાંપમાં નિયમ લેવા અરજ કરેલી તે વખતે આપ પરભુએ સૂચના આપેલી કે જે જે નિયમ લેવાય તે સંલગ્નતા ચાલે તે વધારે ઠીક. તે ઉપર ચોક્કસ વિચાર થવાથી આપ સદ્ગુરૂ દેવને નમસ્કાર કરી નિયમ ધારું છું. ........ માણેકની પરીક્ષા ઘણા ભાગે જાણી છે એટલે આપ સદ્ગુરૂ છો પણ પૂર્વના ઉદયે માણેકને કેમ સાચવવું એ જાણપણું નથી તો કીરપા કરી જાણપણું કરાવશો. મા આપ પરભુના દર્શનની ઇચ્છા રહ્યા કરે છે તો આપ કપાનાથ કીરપા કરી શાંતિ પમાડશો. વળી આપ પરભુ શ્રાવણ માસથી કા.શુ.૫ સુધી ગુજરાતમાં સ્થિરતા કરી હતી તેમાં બે વખત થઇ માત્ર સોળ દિવસને આશરે દર્શનનો લાભ થયો. મારાથી વધુ લાભ લેવાયો નહીં તે પુરી ખેદની વાત તો મેં પૂર્વે કર્મ કરેલાં તે ઉદય આવેલાં છે. તેમાં કોઇ વખતે રૂડા પુરૂષની સેવા ભક્તિ કરવાની ઇચ્છા કરી હશે તો તે પરભાવથી દર્શનનો લાભ થયો બાકીનો વખત અંતરાય રહી તે ખેદ થાય છે. હવેથી આપ પરભુની સેવાભક્તિમાં વધારે કાળ રહેવાનું બને તે ઇચ્છા રહે છે તો હે પ્રભુ! તે ક્યારે પ્રાપ્ત થાય અને તન મન ધન અર્પણ કરીને આપ પરભુના ચરણકમળમાં
RR RR