SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ પાંચમો : ચોવીસ જિન સ્તુતિચતુષ્ક [ આ વિભાગમાં શ્રી ઋષભદેવ ભગવાન આદિ ચોવીસ જિનેશ્વરદેવોનાં સ્તુતિચતુષ્ક આપવામાં આવે છે. સ્તુતિચતુષ્ક માટે નિયમ એવો છે કે-જે ભગવાનનું સ્તુતિચતુષ્ક હેય, તે ભગવાનની સ્તુતિ પહેલીઃ સર્વ ભગવાનની સામુદાયિક સ્તુતિ બીજી શ્રી જિનવાણીની સ્તુતિ ત્રીજી અને, સમ્યગ્દષ્ટિ દેવ-દેવીની સ્તુતિ ચોથી. આ નીચે જે સ્તુતિચતુષ્ક આપેલ છે, તેમાં એવી ગોઠવણું છે કે-શ્રી ઋષભદેવ આદિ ચોવીસ ભગવાનની પહેલી રસ્તુતિ જુદી જુદી છે; અને બાકીની બીજી, ત્રીજી અને એથી સ્તુતિઓ દરેક સ્તુતિચતુષ્કમાં સમાન છે.] ૧. શ્રી ઋષભદેવ જિન સ્તુતિચતુષ્ક પહેલી સ્તુતિ ઃ (માલિની) ઋષભ જિન સુહાયા, શ્રી મરૂ દેવી માયા, કનકવરણ કાયા, મંગલા જાસ છાયા; વૃષભ લંછન પાયા, દેવ નર નારી ગાયા, પણશત ધનુ કાયા, તે પ્રભુ ધ્યાન ધ્યાયા. ૧ બીજી સ્તુતિ ઈમ જિનવરમાલા, પુણ્યની પ્રનાલા, જગમેં ઉદયાલા, ધર્મની સત્રશાલા; કૃત સુકૃત સુગાલા, જ્ઞાનલીલા વિશાલા, સુર નર મહીપાલા, વંદિતા છે ત્રિકાલા. ૨.
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy