________________
વિભાગ ત્રીજે-શ્રી ચૈત્યવંદન સ્તુતિ સંગ્રહ. ૩૧૩ નેમ સુવિધિના જન્મ કહીને, અજિત અનંત સંભવ શિવ લીજે,
દીક્ષા કુંથુ ગ્રહીજે; ચંદ્ર વન સંભવ નાણુ સુણજે,ત્રિહું ચોવીસીયે ઈમ જાણું જે,
સવિ જિનવર પ્રણમીજે. પંચ પ્રકારે આગમ ભાખે, જિનવર વચન સુધારસ ચાખે,
- ભવિ નિજ હૃદયે રાખે; પાંચ જ્ઞાન તણો વિધિ દાખે, પંચમી ગતિને મારગ આખે,
જેહથી સવિ દુઃખ નાખે. જિનભક્તિએ પ્રજ્ઞપ્તિ દેવી, ધર્મનાથ જિન પદ પ્રણમેવી,
કિન્નર સુર સંસેવી; બેધિ બીજ શુભ દષ્ટ લહેવી, શ્રી નવિમલ સદા મતિ દેવી,
દુશ્મન વિઘન હરેવી.
(મનહર મૂરતિ મહાવીર તણી—એ દેશી ) શ્રી નેમિ જિનેસર લીયે દીક્ષા, છઠ્ઠા દિવસે સુવિધિ ચરણ શિક્ષા એક કાજલ એક શશિકર ગોરા, નિત સમરૂ જિમ જલધર મેરા. ૧ પદ્મપ્રભ શીતલ વીર જિના, શ્રેયાંસ જિણુંદ લહે ચવના; વિમલ સુમતિ જ્ઞાન અડ હેય, કલ્યાણક સંપ્રતિ જિન જેય. ૨ જિહાં જયણું ષવિધ કાયતણ, ષટ વ્રત સંપદ મુનિરાયતણું; જેહ આગમ માંહે જાણીયે, તે અનુપમ ચિત્તમેં આણી. ૩ જે સમકિતદષ્ટિ ભાવીયા, સંવેગ સુધારસ સીંચીયા; નયવિમલ કહે તે અનુસરે, અનુભવ રસ સાથે પ્રીતિ ધરો. ૪