________________
૨૭૪
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ
નાણે જાણે વિશેષને રે, દંસણે સકળ સામાન્ય; ચરણે રમે નિજ રમ્પમાં છે, પ્રભુ અનુભવલીલ અમાન. હિ૦ ૪ ઘાતિકર્મના નાશથી રે, દેષ અઢાર વ્યતીત; ખિમાવિજય જિનરાજને રે, મહિમા વિશ્વવિદિત. હિ૦ ૫
- શ્રી શત્રુંજય મંડન આદિ જિન વિનતિ,
: ઢાલ-પહેલી :
(રાગ-કલ્યાણ) જય પઢમજિનેસર અતિ અલસર, આદિસર ત્રિભુવન ધણું, શેત્રુજે સુખકારણ સુણ ભવિ તારણ, વિનતડી સેવક તણી. ૧ આદીસર અરિહંત અવધારે, કૃપા કરી સેવકને તારે; તું ત્રિભુવનપતિ તાત અમારે, ભવસાગર બૂડતાને તા. ૨ હું ભમી ભવ કેડીકેડી, તાહરી ભક્તિ કરી મેં થોઠી; તત્ત્વતણું મેં વાત વખોડી, પાપ તણું મતિ દિલભર જેડી. ૩ રૂલીયે નિગદ અનંત કાળ, સૂમ બાદર એહીજ ઢાળ; તું પ્રભુ જીવદયા પ્રતિપાળ, કર કર સ્વામી સાર સંભાળ. ૪ પૃથ્વી પાણી તેઉ વાય, સાત સાત લાખ ભેદ કહાય; વણસઈ દસ લાખ પત્તેય, ચોદહ લાખ અનંત ગણાય. ૫ બિતિચઉરિદ્ધિ દે દે લાખ, તિરિપંચેંદ્રિ ચઉ લખ ભાખ; સુર નારક એ ચઉ ચ9 લાખ, ચોદલાખ મણુએ તે દાખ. ૬ જીવાયેનિ એ લાખ ચોરાશી, હે પ્રભુજી! તેં પ્રબળ પ્રકાશી; મેં જોયું મુજ મનમાં વિમાસી, તે મેં વાર અનંત અભ્યાસી. ૭ સ્વામી! ચૌદ રાજ મેં પૂરા, સૂક્ષ્મ બાદર પુદ્ગલ પૂરા; પ્રભુ મેં વાર અનંતી પૂર્યા, કેતાં કરમ કયાં ન અધૂરાં. ૮