________________
ફરજ
બી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
સુર કરીય માયા શરણ આયા,પારે જેણે રાખીયે,
દાતા ભલે દયાકેરો, દાન મારગ દાખીયો. - ૪ ઢાલ-ગિરૂઓ ગઢ ગિરનારને, જસ સિર નેમકુમાર રે,
સમુદ્રવિજયનુપકુલતિ શિવાદેવી માત મલ્હારરેગિ ૫ ઉથલો:-ગિરનાર ગિરૂઓ ડુંગર દેખી, હૈડે હરખી હે સખિ!
નવ અંગ નવેરી નમ કેરી, કરીશ પૂજા નવલખી; જેણે ચિત્ત મીઠી દયા દીઠી, રાણી રાજુલ પરિહરી,
સંસાર ટાળી સંયમ પાળી, વેગે મુગતિ વધૂ વરી. ૬ ઢાલ-જાશું દેવ જીરાવલે, કરશું સફળ બે હાથ રે,
- સંઘ મળે સહુ સામટે, પૂજવા પારસનાથ રે. જા. ૭ ઉથલો:-જીરાવલે જગનાથ જાણ, મન આણી આશના,
મદ માન મેડી હાથ જોડી, ગુણ ગાશું પાસના; ઢમઢેલ ઢમકે ઘુઘર ઘમકે, રંગ રૂડા રાસના,
પ્રભુ સેવ કરતાં ધ્યાન ધરતાં, થાય ઉત્તમ વાસના. ૮ ઢાલ સાચે જિન સારને, ત્રિભુવનમંડન વીરરે;
ધીરપણે જેણે તપ તપ્યા, સેવન વરણ શરીરરે. સા. ૯ ઉથ-સારસ્વામી સદા સાચે,જસવાદતેજચિહું દિશિત.
પ્રભુ આસ પૂરે પાપ ચૂરે, ધ્યાન યોગીશ્વર જપે; શશી સૂર મંડલ જિસા કુંડલ, હૈયે હાર સહામણો,
જિનરાજ આજ દયાલ દેખી, ઉપન્ય ઉલટ ઘણે. ૧૦ ઢાલ-મુનિ લાવણ્યસમય ભણે,પંચ એ મેરૂ સમાન રે,
પંચ તીરથ જે સ્તવે, તસ ઘર નવે નિધાન રે. મુ૧૧