________________
(૧૭૮ ).
~- ~
~ પકવાર મતના તમામ
કામ કરે અને એક 1
* , * *, * + +-
કોએ લક્ષ્મણને રાજ્ય ઉપર બેસાડશે. તેમજ રામ બલદેવતાને અવતાર છે, તેથી રામને પણ રાજ્યનો અભિષેક કર્યો. એવી રીતે આઠમા બલદેવ તથા વાસુદેવ એ બેઉ રાજ્ય કરવા લાગ્યા. ત્યારે રામે બિભીષણને કહ્યા પ્રમાણે રાક્ષસપિ આપ્યો. તેમજ સુગ્રીવને વાનરહિંપ આપો, હનુમાનને શ્રી પરે મોકલ્યો, વિરાધને પાતાળ લંકાએ રવાને કર્યો, નીલને રૂક્ષપુર, પ્રતિસુર્યને હ. નુપુર, રત્નજટને દેવો પગીત નગર, ભામંડલને રથનુપુર નગર, અને બીજાઓને પણ યથાયોગ્ય આપીને રામ શતરૂઘનને કહે છે કે, હે વત્સ તને કછે દેશ ગમે છે? તે લે. ત્યારે શતરૂઘન કહેવા લાગ્યો કે મને મથુરા નગરી જોઈએ. ત્યારે રામ બોલ્યો કે હે વત્સ મથુરા નગરી લેવી મહા કડાણ છે; ત્યાંના મધુ નામના રાજાને પુર્વે એક ચમરેદ્ર નામના દેવતાએ ત્રિશુળ આપ્યું છે. તે શતરૂના સેન્યને દુરથી નાશ કરીને ફરી પોતાના ધણીના હાથમાં જાય છે. ત્યારે શતરૂઘન બોલ્યો કે હે દેવ, હું તમારો ભાઈ છું, મારા યુદ્ધમાં તેનું રક્ષણ કરનાર કોણ છે? માટે મને મથુરા નગરી આપો. એકલો હુંજ જેમ વિદ વ્યાધીનો પરિહાર કરે છે તેમ તેને જીતી લઇશ. એવી રીતે શતરૂઘનના આગ્રહથી તેને મથુરા નગરી આપીને રામ કહેવા લાગ્યો. હે વત્સ તે મધુ રાજાના હાથમાં જે વખત ત્રિશુળ હોય નહી તથા જે વખ તે ઉન્મત થયો હોય તે વખતે તેની સાથે તું યુદ્ધ કરજે, એમ કહીને અક્ષપ્યસાયક એવા બે ભાતા અને કૃતાંત વદન નામને સેનાની એ છે પદાર્થ સાથે દીધા. તેમજ લક્ષ્મણે અગનિમુખ બાણ અને આવાત ધનુષ્ય એ બે વસ્તુ આપી.
પછી શતરૂઘન પ્રયાણ કરીને એક સરખો ચાલતો છતાં મથુરા નગરીની પાસે જઈ નદીના તીર ઉપર રહ્યા. પ્રથમ મધુ રાજાની પાસે ચાર દુત મોકલ્યા, તે ત્યાં જઈને પાછા આવ્યા, ને શતરૂઘનને કહેવા લાગ્યા કે . મધુ રાજા પોતાની જયંતી નામની સ્ત્રી સહિત મથુરાની પૂર્વ દિશાએ કુબેર નામના ઉદ્યાનમાં ગયો છે અને તે ત્રિશુળ અસ પિતાના ઘેર પડયું છે. આ યુદ્ધને વખત છે. એવું તે દુતનુ બેલવું સાંભળીને શતરૂઘન રાતના મ. થુરા નગરીમાં ગયો. મધુ રાજા પણ તે જ વખતે નગરીમાં પેસવા લાગ્યો. ત્યારે તેને શતરૂઘનના સેને અટકાવ્યા, અને પ્રથમ રામના રણના આરંભે જેમ ખરને માયો હતો તેમ મધુને પુત્ર જે લવણ તેને મારી નાંખે. પુ. ના અવાંથી મધુ ધાયમાને થઈને તેણે પોતાના ધનુષ્યના ટહુકાર કર્યો. તે
"
ન તરીકે કામ કરવાની
રજા
.
પર ઝારાના .
I