________________
અવ્યક્તવાદ
નિતવવાદ પણ સર્વજ્ઞ ભગવંતો તે આહારાદિ ઉપર કે આહારાદિ લાવનાર ઉપર ક્યારેય કોપ કરતા નથી એટલે કે છદ્મસ્થ જીવોની તે આચરણાને અપ્રમાણ કહેતા નથી. તેમના લાવેલા આહારાદિનો પરિહાર કરતા નથી. તેનો ઉપયોગ કરે છે વાપરે છે. માટે છબસ્થ આત્માઓએ તો વધારે વ્યવહાર નયનો જ સ્વીકાર કરવો જઇએ. અને પરસ્પર નાનામોટા-પ્રમાણે વંદન વ્યવહાર કરવો જોઈએ / ૨૩૭૯-૨૩૮૦ || निच्छयववहारनओगणीयमिह सासणं जिणिंदाणं । एगयरपरिच्चाओ, मिच्छं संकादओ जे य ॥ २३८१ ॥ जह जिणमयं पवज्जह, तो मा ववहार नयमयं मुयह । ववहारपरिच्चाए, तित्थुच्छेओ जओऽवस्सं ॥ २३८२ ॥
ગાથાર્થ - તીર્થકર ભગવંતોનું શાસન નિશ્ચયનય અને વ્યવહારનય એમ બન્ને નયોથી ભરેલું છે. બન્ને નયોમાંથી કોઈ પણ એકનયનો પરિત્યાગ કરવામાં આવે તો અથવા શંકાદિ કંઈ પણ અનિચ્છનીય કરવામાં આવે તો મિથ્યાત્વ લાગે જ. ર૩૮રા
તે કારણથી જો તમે જિનમતને સ્વીકારતા હો તો વ્યવહારનયની વાત પણ સ્વીકાર કરો, પણ વ્યવહારનયનો ત્યાગ ન કરો. કારણ કે વ્યવહારનયનો ત્યાગ કરાય છતે અવશ્ય તીર્થનો પણ ઉચ્છેદ જ થશે || ૨૩૮૧-૨૩૮૨ |
વિશેષાર્થ:- જો તીર્થંકર પરમાત્માનો સિધ્ધાન્ત માન્ય કરવો જ હોય તો વ્યવહારનયનો ત્યાગ ન કરો, જો વ્યવહારનયનો ત્યાગ કરશો તો કેવળ એકલો નિશ્ચયનય માનશો તો તે પણ એકાન્ત માર્ગ હોવાથી મિથ્યાત્વ જ કહેવાશે. અને આમ કરવાથી તીર્થનો એટલે કે ભગવાનના શાસનનો ઉચ્છેદ જ થાય, તથા શંકા-આકાંક્ષા વિગેરે જે દોષો છે તે લાગે જ. તે પણ મિથ્યાત્વ જ કહેવાશે. માટે કંઈક સમજો, આપણે છદ્મસ્થ છીએ. તેથી વ્યવહારનયનો ત્યાગ ન જ કરાય || ૨૩૨૮૧-૨૩૮૨ ||
અવતરણ - આટલું સ્થવિર મુનિઓએ સમજાવ્યું. ત્યારે ત્યાં શું બન્યું ? તે હવે કહે છે :इय ते नासग्गाहं मुयंति, जाहे बहुं पि भण्णंता । ता संघपरिच्चत्ता, रायगिहे निवतिणा नाउं ॥ २३८३ ॥ बलभद्देणग्घाया, भणंति सावय ! वयं तवस्सित्ति । मा कुरु संकमसंकारुहेसु, भणिए भणइ राया ॥ २३८४ ॥