________________
૬૨ અવ્યક્તવાદ
નિહ્નવવાદ પ્રશ્ન :- અહીં કદાચ તમે આવો પ્રશ્ન કરો કે “આ સાધુઓ સારા સાધુપણાના આચારવાળા જ છે એમ કેવી રીતે જણાય ? તો તેનો ઉત્તર કહે છે.
ઉત્તર :- આલય અને વિહારાદિ સાધુસમાચારીથી યુક્ત છે માટે આ સાધુજ છે. આમ માનવું જોઈએ. શાસ્ત્રમાં સાધુસામાચારી માટે કહ્યું છે કે-ગાથે વિદ્યારે કાળા ચંવમા ય સ વિહિયં નાર્ડ, માસા વેળફg | ૧ આલય-વિહાર-સ્થાનચાલવું ઇત્યાદિ નિમિત્તોથી સુવિહિતપણું જાણવું તથા બોલવાની ભાષા ઉપરથી પણ સુવિહિતપણુ જાણવું. આ પ્રમાણે છબસ્થ એવા આપણે આવાં આવાં લિંગોથી સુસાધુપણ જાણી શકીએ છીએ જે તમારે માનવું જોઈએ. આમ સ્થવિરોએ કહ્યું || ૨૩૬૪ ||
અવતરણ સ્થવિરો બીજી પણ યુક્તિ આ મુનિઓને કહે છે. जहवा जिंणिंदपडिमं जिणगुणरहियं ति जाणमाणा वि । परिणामविसुद्धत्थं वंदह तह किं न साहुं पि ॥ २३६५ ॥ हुज्ज नवा साहुत्तं, जइरूवे नत्थि चेव पडिमाए । सा कीस वंदणिज्जा, जइरूवे कीस पडिसेहो ? ॥ २३६६ ॥
ગાથાર્થ - અથવા તો જિનેશ્વરપ્રભુની પ્રતિભા જિનેશ્વર પ્રભુના ગુણોથી રહિત છે. એમ જાણવા છતાં પણ આત્માના પરિણામની વિશુદ્ધિ માટે પ્રતિમાજીને તમે વંદન તો કરો જ છો. તો પછી સાધુને પણ કેમ ન થાય ? ૨૩૬૫ II
પતિના રૂપમાં (મુનિપણાના વેષધારીમાં) સાધુપણું હોય અથવા ન હોય એમ વિકલ્પમાત્ર જ છે. જયારે પ્રતિમાજીમાં તો પરમાત્માપણું નથી જ. તો પછી પ્રતિમા વંદનીય કેમ ? અને મુનિસ્વરૂપમાં નિષેધ માત્ર કેમ ? || ૨૩૬૬ll
વિવેચન :- બન્ને ગાથાનો અર્થ બહુ જ સુગમ છે તો પણ પ્રથમ ગાથામાં પ્રતિમાજીને વન્દનીય માનવામાં સામ્યપણું કહ્યું છે. જયારે બીજી ગાથામાં પ્રતિમાજી કરતાં સાધુના સ્વરૂપમાં વિશેષતા જણાવી છે. મુનિપણાના સ્વરૂપવાળી વ્યક્તિમાં સાધુપણું હોય અથવા ન હોય એમ બન્ને વિકલ્પો છે. સાધુપણું નથી જ આવો કેવલ એકલો નિષેધ નથી. માત્ર સંદેહાત્મકતા જ છે. જ્યારે પ્રતિમાજીમાં તો વીતરાગત નથી જ. કારણ કે તે જીવ જ નથી. તો અત્યન્ત નિષેધ જ્યાં હોય તે જ વંદનીય હોય તો
જ્યાં સંદેહાત્મકતા હોય તે વંદનીય કેમ ન હોય ? માટે સાધુનું સ્વરૂપ છે જેમાં એવા મુનિમાં વંદનીયતાનો નિષેધ કેમ કરાય ? આ કારણે તમારી માન્યતા બરાબર નથી. | ૨૩૬૫-૨૩૬૬ ||