________________
એક પ્રદેશવાદ
નિઠવવાદ
વિવેચન :- તિષ્મગુપ્તની જ્યારે વિપરીત બુદ્ધિ થઈ ત્યારે ગુરુ એવા વસુ નામના આચાર્ય વડે તેઓને સમજાવવાનો પ્રયત્ન કરાયો કે હે તિષ્યગુપ્ત! જો આ આત્માનો પ્રથમ એક પ્રદેશ, દ્વિતીય પ્રદેશ, તૃતીય પ્રદેશ વિગેરે પ્રદેશો જો આત્મા રૂપ નથી. તો અન્તિમ એક પ્રદેશ પણ પ્રથમાદિ પ્રદેશોની જેવો જ હોવાથી અને એક સ્વરૂપ હોવાથી તે અન્તિમ એક પ્રદેશ આત્મારૂપ કેમ હોઇ શકે ?
૪૨
વાતનો સાર એવો છે કે ગુરુજી શ્રી વસુનામના આચાર્યે આ શિષ્ય તિષ્મગુપ્તને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હે તિષ્યગુપ્ત ! આત્માનો પ્રથમ પ્રદેશ જો જીવત૨ીકે માન્ય નથી. (એવી જ રીતે બીજો પ્રદેશ અને ત્રીજો પ્રદેશ વિગેરે પ્રદેશો જો જીવ તરીકે માન્ય નથી.) તો અન્તિમ એક પ્રદેશ પણ જીવ છે આમ ન જ ઘટી શકે. કારણ કે તે અન્તિમ પ્રદેશ પણ પ્રથમાદિ આત્મપ્રદેશના જેવો જ એકત્વ પરિણામવાળો છે.
સારાંશ કે હે તિષ્યગુપ્ત ! તારો માનેલો અન્તિમપ્રદેશ પણ જીવસ્વરૂપ કહેવાશે નહીં. કારણ કે અન્ય સર્વ આત્મપ્રદેશોની સાથે તે અન્તિમપ્રદેશ પણ તુલ્ય પરિણામવાળો છે. પ્રથમાદિ અન્ય આત્મપ્રદેશોની જેમ તે પણ આત્મા કહેવાશે નહીં || ૨૩૩૭ ||
અવતરણ :- આ જ વાતને ગુરુજી વ્યત્યય (વ્યતિરેક) દ્વારા સમજાવે છે કેअहवा स जीवो, कह नाइमोत्ति को वा विसेसहेऊ ते ? અહ પૂળોત્તિ બુદ્ધી, પોકો પૂરળો તા ૫ ૨૩૮ ॥
ગાથાર્થ :- અથવા હે તિષ્યગુપ્ત ! તે અન્તિમ પ્રદેશ જ જીવ છે અને આદિમ આત્મપ્રદેશ જીવ નથી. આમ માનવામાં તારી પાસે વિશેષ કારણભૂત હેતુ શું છે ? કદાચ તું એમ કહે કે અન્તિમપ્રદેશ આત્મતત્ત્વની પૂર્ણતા કરનાર છે આવી તારી બુદ્ધિ થાય તો તે આત્માના એક એક આત્મપ્રદેશો આત્મતત્ત્વની પૂર્ણતા કરનારા છે. ।।૨૩૩૮।।
વિશેષાર્થ :- અથવા હે તિષ્યગુપ્ત ! તે અન્તિમ એક આત્મપ્રદેશ જ તારા વડે જીવ તરીકે કેમ સ્વીકારાય છે ! અને આદિમ એટલે કે પ્રથમ આત્મપ્રદેશ જીવ તરીકે કેમ સ્વીકારાતો નથી ? પ્રથમ, દ્વિતીય, તૃતીય વિગેરે સર્વે પણ આત્મપ્રદેશો આત્મપ્રદેશત્વપણે તુલ્ય છે. તથા અન્તિમ આત્મપ્રદેશ જેમ આત્મતત્ત્વની સમાપ્તિ કરનાર છે. તેમ જ પ્રથમ આત્મપ્રદેશ. અથવા દ્વિતીય આત્મપ્રદેશ અથવા તૃતીય આત્મપ્રદેશ વિગેરે આત્મપ્રદેશો જો ન હોય તો એકલા ચરમ આત્મપ્રદેશથી પણ આત્મતત્ત્વ પૂર્ણ થતુ નથી. માટે સર્વે પણ આત્મપ્રદેશો આત્મતત્ત્વની પૂર્ણતા કરનાર તરીકે સમાન જ છે.