________________
(૬)
(૭)
અંતરંજિકાનગરી રોહગુપ્ત/ષડુલુક વેરાશિકમત કાઢનાર આત્રણરાશિઓની
નિર્તવ દશપુરનગરમાં
પ્રરૂપણા કરનારા
ગોષ્ઠામાહિલ
અબદ્ધિકદ્રષ્ટિવાળા
નિહ્નવ
(૮) રથવીરપુરનગરમાં લોટિક/દિગંબર મત
વસ્ત્ર-પાત્રના
ત્યાગવાળી દ્રષ્ટિ
જીવ, અજીવ અને નોજીવ
જીવ, કર્મથી સ્પષ્ટ છે પણ બદ્ધ નથી
આવી પ્રરૂપણા કરનારા
વસ્ત્ર-પાત્ર-શયનઆસન
વિગેરે કોઇપણ પૌદ્ગલિક સામગ્રી ન હોય આ વીદ્રષ્ટિ
ઉપરોક્ત ૮ નિર્લવમાં પ્રથમના ૭ નિહ્નવ દેશવિસંવાદી (કોઇ પણ એક બાબતમાં જ મહાવીરપ્રભુની વાત ન માનનાર) છે પરંતુ જે બૌટિક (દિગંબર) નિર્ભવ છે. તે (સર્વ નિહ્નવ) જાણવા. કારણકે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની અનેક વાત તેઓ ન માનનારા છે. હવે તે આઠે નિહ્નવોની માન્યતા વિગતવાર સમજાવાય છે.
ભગવાન શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાને માત્ર ૧૪ વર્ષો જ થયાં હતાં ત્યારે શ્રાવસ્તી નગરીમાં જમાલિનામના પ્રથમ નિહ્નવ થયા. તેઓ ભગવાન શ્રી મહાવીર પ્રભુના જમાઇ હતા તથા તેમની બહેનના પુત્ર હતા તે કાળે મામા-ફઈના વ્યવહારો થતા હતા. તેઓએ ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. તથા તેમનાં પત્ની પ્રિયદર્શનાએ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હતી.
જમાલિજી અગીયાર અંગોનો અભ્યાસ કરી ગામાનુગામ વિચરતા વિચરતા ૫૦૦ શિષ્યો સાથે શ્રાવસ્તી નગરીમાં હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા.
એક વખત તેઓશ્રીને બહુ જ તાવ આવ્યો હતો જેથી ઉઠવા-બેસવા તથા ગતિ કરવા સમર્થ ન હતા. તેથી તેમણે સંથારો પાથરવાનું શિષ્યોને કહ્યું. શિષ્યો સંથારો પાથરવાની ક્રિયામાં લાગ્યા. તાવની અતિરેકતાથી તેઓએ પુછ્યું કે સંથારો પથરાયો કે નહીં ? ત્યારે શિષ્યોએ કહ્યું કે હા સાહેબ. સંથારો પથરાઇ ગયો છે આપ આરામ કરવા માટે પધારો.
તેઓ તુરત જ ઉભા થઇને ત્યાં ગયા. અને જોયું તો સંથારો પથરાતો હતો પુરેપુરો પથરાઇ ચુકયો ન હતો. તે જોઇને ક્રોધ કરવા પૂર્વક શિષ્યોને કહ્યું કે “તમે જુઠુ કેમ બોલો છો ? ત્યારે શિષ્યોએ કહ્યું કે “કરાતુ હોય તેને કર્યુ જ કહેવાય’” તેથી ધણો ભાગ અથવા ધણા ટકાનો ભાગ પથરાઇ ગયેલ હોવાથી “પથરાઇ ગયો છે’’ આમ જ બોલાય છે ભગવતીજી સૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશામાં આવો પાઠ છે “કરાતું હોય તેને કર્યું જ કહેવાય” ગામની સીમ આવે છે ત્યારે “ગામ આવ્યું છે આમ જ કહેવાય છે’” આ ભગવાનનું