________________
૨૦ બહુરતમત
નિતવવાદ ઘટાત્મક કાર્ય તો અન્તિમ સમયે જ આરંભાય છે અને ત્યાં જ (અન્તિમ સમયમાં જ) સમાપ્ત થાય છે તેથી આ કાર્યને કરવાનો દીર્ઘક્રિયાકાલ છે જ ક્યાં ! જે કાર્ય જે સમયે આરંભાય છે તે કાર્ય તે સમયે જ સમાપ્ત થાય છે. | ૨૩૧૫ II
અવતરણ:- ઘટ બનાવવાના પૂર્વ સમયોમાં અન્ય અન્ય કાર્ય આરંભાય છે. તેથી તે અન્ય અન્ય પૂર્વકાલનાં કાર્યોના સમયમાં ઘટાત્મક કાર્ય કેમ દેખાતું નથી ? એવા પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કેअन्नारंभे अन्नं किह दीसउ, जह घडो पडारंभे । સિવાવા મો, વિશદ વીણ સો તદ્ધાર ! | ૨૩૨૬ |
ગાથાર્થ - અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય કેમ દેખાય ? જેમ પટાત્મકાર્યના આરંભમાં ઘટાત્મક કાર્ય દેખાતું નથી. તેમ અહીં સમજવું. શિવક-સ્થાસ વિગેરે જે કાર્યો છે તે ઘટાત્મક કાર્ય નથી. તે કારણથી તે શિવક-સ્થાસ આદિ કાર્યોના કાળમાં તે ઘટાત્મક કાર્ય કેમ દેખાય ? ૨૩૧૬ ||
વિવેચન - શીવક-સ્થાસ- કોશ-કુશૂલ વિગેરે અન્ય અન્ય કાર્યોના આરંભકાલે અન્ય એવું ઘટાત્મક કાર્ય કેમ દેખાય ? જેમ પટકાર્યના આરંભકાલે ઘટાત્મક કાર્ય ક્યારેય દેખાતું નથી. તેમ અહીં શિવકાદિના કાલમાં ઘટાત્મક કાર્ય ન જ દેખાય. તો પછી ગાથા ૨૩૧૨ માં તારા વડે આમ કેમ કહેવાય છે કે આરંભમાં ઘટ દેખાતો નથી. શિવક આદિના કાળમાં પણ ઘટ દેખાતો નથી. ફક્ત તે સર્વ ક્રિયાઓના અંતે જ દેખાય છે. આવો પ્રશ્ન તારા વડે કેમ કરાય છે ?
ખરેખર તો અન્તિમ સમયે જ ઘટ આરંભાય છે માટે અન્તિમ સમયે જ દેખાય છે. તેમાં ખોટું શું છે' પૂર્વકાલમાં જે સ્થાસ કોશ. કુશૂલ વિગેરે જે જે કાર્ય કરાય છે. તે તે કંઈ કુંભરૂપ નથી. પરંતુ કુંભથી ભિન્ન જ છે. તેથી તે શિવકાદિના કાલમાં આ ઘટ કેમ દેખાય ? માટે તારાવડે આમ જે કહેવાય છે કે શિવક-સ્થાસ-કોશ આદિના કાળમાં ઘટ કેમ દેખાતો નથી તે તારી અજ્ઞાનતા જ સૂચવે છે. અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય ન જ દેખાય. તે બરાબર ઉચિત જ છે ઘટ તો અંતે જ શરૂ કરાય છે. અને અંતે જ દેખાય છે. | ૨૩૧૬ /
અવતરણ - તમે જે એમ કહ્યું કે ઘટ શરૂ કરાય છે વહેલો. પણ શિવક-સ્થાસ-કોશ-કુશલ આદિ અનેક કાર્યો થયા પછી ઘણા લાંબા કાળે ઘટ દેખાય છે. જે સમયે આરંભાય છે તે સમયે ક્યાં દેખાય છે? આવો કોઈ પ્રશ્ન કરે તો તેનો ઉત્તર આપતાં કહે છે કેअंते च्चिय आरद्धो जइ दीसइ तम्मि चेव को दोसो ? अकयं व संपइ गए कह कीरउ कह व एस्सम्मि ? ॥२३१७ ॥