________________
૨૪૨
અવતરણ :- આ આઠે નિહ્નવોનું સમુચ્ચયપણે જે સ્વરૂપ છે તે કહે છે ઃएवं एए भणिया, उसप्पिणीए उ निण्हगा सत्त । वीरस्स पवयणे, सेसाणं पवयणे नत्थि ॥ २६१० ॥
નિઠવવાદ
ગાથાર્થ :- આ પ્રમાણે અવસર્પિણી કાળમાં મહાવીર પ્રભુના શાસનમાં કુલ સાત નિદ્ભવો થયા (આઠમા બોટિક નિર્ભવ = શબ્દથી જણાવેલ છે). બાકીના તીર્થંકર ભગવંતોના કાળમાં આવા નિહ્નવો થયા નથી ॥ ૨૬૧૦ ||
વિવેચન :- આ પ્રમાણે હમણાં ગાથા નંબર ૨૩૦૦ થી ૨૬૦૯માં કહ્યા પ્રમાણે આ અવસર્પિણી કાળમાં કુલ જમાલિથી પ્રારંભીને ગોઠામાહિલ સુધીના કુલ સાત નિહ્નવો થયા તથા આઠમા નિર્ભવ બોટિક એટલે કે દિગંબર = શબ્દથી સમુચ્ચય રૂપે કહેલ હોવાથી તે આઠમા નિર્ભવ સમજવા. આમ કુલ આઠ નિહ્નવો થયા. આ આઠે નિહ્નવો પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના શાસનમાં થયા. બાકીના તીર્થંકર ભગવંતોના શાસનમાં આવા નિહ્નવો થયા નથી. અથવા આવા કોઈ નિહ્નવો હતા નહી. “નિવ સત્તા” આટલું પદ અધ્યાહારથી સમજી લેવું. ॥ ૨૬૧૦ ॥
मोत्तूणेत्तो एक्कं, सेसाणं जावजीविया दिट्ठी ।
.
एक्क्क्स्स य एत्तो, दो दो दोसा मुणेयव्वा ॥ २६११ ॥
ગાથાર્થ :- આ આઠ નિહ્નવમાંથી એક ગોઠામાહિલને મૂકીને બાકીના સર્વે પણ નિહ્નવોની દૃષ્ટિ પચ્ચક્ખાણની બાબતમાં યાવજ્જીવનું જ પચ્ચક્ખાણ હોય એવી હતી. આ સર્વે પણ નિહ્નવોમાં એક એક નિર્તવના બે બે દોષો હતા. || ૨૬૧૧ ||
વિવેચન :- ઉપર કહેલા આઠ નિદ્ભવોમાંથી એક ગોષ્ઠામાહિલને મૂકીને બાકીના સાતે નિહ્નવોની દૃષ્ટિ પચ્ચક્ખાણની બાબતમાં સમાન જ હતી એટલે કે આ જીવ જ્યારે દીક્ષા ગ્રહણ કરે ત્યારે યાવજ્જીવનું જ (એટલે આ શરીરમાં આ ભવસંબંધી જીવ રહે ત્યાં સુધીનું જ) પચ્ચક્ખાણ કરાય. પરંતુ અરિમાણ પચ્ચક્ખાણ ન કરાય. કારણ કે મૃત્યુ બાદ આ જીવ ક્યાં જશે ? શું કરશે ? તેની આપણને ખબર નથી. તે આપણાને આધીન નથી. તે માટે અપરિમાણ (યાવજ્જીવના માપ વિનાનું ) પચ્ચક્ખાણ થાય નહીં.
પ્રશ્ન :- પૂર્વે કરેલી ચર્ચાથી જ વાત તો સમજાય જ છે ફરીથી આવા અર્થનો ઉપન્યાસ (આવો અર્થ સમજાવવાનો પ્રયત્ન) શા માટે કરાય છે ?