________________
પ્રથમનિલવની પ્રસ્તાવના
૩% શ્રી સિમાડાય નમઃ |
| શ્રી સંઘેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ॥श्री परमोपकारि चरमतीर्थपति श्री महावीरस्वामिने नमः ॥
કાજ શ્રી વિશેષાવશ્યક ભાષ્યાધારિત વ ) તો નિલવવાદ .)
પરમાત્મા શ્રી મહાવીરભગવંતના શાસનમાં વીતરાગ પરમાત્માના વચનને ન માનનારા અને પોતાની મતિ પ્રમાણે તત્ત્વની કલ્પના કરનારા આઠ નિકૂવો થયા છે. નિદ્ભવ એટલે છુપાવવું. પરમાત્માએ કહેલી વાતને ન માનવી. અને તેને છુપાવીને અર્થાત તિરસ્કારીને પોતાની મતિ પ્રમાણે કલ્પના કરવી તેને નિહ્નવ કહેવાય છે.
પરમાત્મા શ્રી મહાવીરપ્રભુના શાસનમાં આવા પ્રકારના મિથ્યાત્વના ઉદયવાળા આઠ નિલવો થયા છે. જેઓનું સવિસ્તર વર્ણન શ્રી વિશેષાવશ્યક ભાષ્ય નામના ગ્રંથમાં છે. જે ભાષ્યના કર્તા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી છે. તે ગ્રંથ ઉપર એક સ્વોપજ્ઞ ચૂર્ણિ છે. બીજી સંસ્કૃત ભાષામાં કોટ્યાચાર્યજીની ટીકા છે. અને ત્રીજી મલધારિજી હેમચંદ્રાચાર્યજીની બનાવેલી સંસ્કૃત ભાષામાં ટીકા છે.
મલધારિજીની આ ટીકા કંઈક વિસ્તારયુક્ત અર્થવાળી અને રસપ્રદભાષામાં લખાયેલી છે. અને હાલ વર્તમાનકાલે વધારે પઠન-પાઠન યોગ્ય છે. તેથી તે ટીકાનો આ ગુજરાતી અનુવાદ કરાય છે. આ વિશેષાવશ્યકભાષ્યની કુલ ૩૬૦૩ ગાથા છે. તે ગ્રંથમાં (૧) પાંચ જ્ઞાનનો અધિકાર (૨) અગિયાર ગણધર ભગવંતોનો અધિકાર-ગણધરવાદ, (૩) આઠ નિદ્વવોનો અધિકાર અને (૪) સાત નયોનો વિસ્તાર, આ ચાર વિષયો બહુ જ સારી રીતે આ ગ્રંથમાં ચર્ચેલા છે. આ ગ્રંથમાં જેટલો વિસ્તાર છે, તેટલો વિસ્તાર બીજે ક્યાંય હાલ જોવા મળતો નથી. અન્ય અનેક ગ્રંથકર્તાઓ આ ગ્રંથની બહુ જ સાક્ષી આપે છે. એટલે આ ગ્રંથ અવશ્ય ભણવા જેવો છે. તે ઉદ્દેશથી આ વિવેચન લખાય છે.
તે ગ્રંથમાં ગાથા ૧૫૪૯ થી ૨૦૨૪ સુધીમાં ગણધરવાદ છે. જેનું વિવેચન અમે પહેલાં પ્રકાશિત કર્યું છે. અને આ આઠ નિહ્નવોના વાદની ચર્ચા ગાથા નંબર ૨૩૦૦