________________
અષ્ટમ નિહ્નવ
અવતરણ :- તે આ પ્રમાણે દેશવિસંવાદી (અમુક અમુક અંશને જ નહી માનનારા) એવા સાત નિહ્નવો સમજાવ્યા. હવે સર્વવિસંવાદી એવા (અનેક પ્રકારે પરમાત્માની વાતને ન માનનારા) અને ૨૩૦૦મી. ગાથામાં વ શબ્દથી સંગૃહીત એવા આઠમા બોટિક (દિગંબર) એ નામના આઠમા નિહ્નવને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે કે :
छव्वाससयाइं नवुत्तराई, सिद्धि गयस्स वीरस्स ।
तो बोहियाण दिट्ठी, रहवीरपुरे समुप्पण्णा ॥ २५५० ॥
ગાથાર્થ :- શ્રી મહાવીર પરમાત્માને મોક્ષે ગયાને છસોહ અને નવ (૬૦૯) વર્ષ ગયે છતે ૨થવીરપુર નગરમાં બોટિકોની (દિગંબરોની) દૃષ્ટિ ઉત્પન્ન થઈ. ।।૨૫૫ગા
વિવેચન :- ગાથા ઉપરથી જ અર્થ સમજાય તેવો છે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ નિર્વાણ પામ્યા પછી (૬૦૯) છસોહ અને નવ વર્ષ પસાર થયાં ત્યારે રથવીરપુર નામના નગરમાં બોટિકોની (દિગંબરોની) દૃષ્ટિ પ્રગટ થઈ. તેની વધારે વિગત આગલી ગાથામાં આવે જ છે. || ૨૫૫૦ ॥
અવતરણ :- બોટિકોની ઉત્પત્તિને જણાવતી બે ગાથા કહે છે :रथवीरपुरं नगरं, दीवगमुज्जाणमज्जकण्हे य ।
सिवभूइस्सुवहिम्मि पुच्छा थेराण कहणा य ॥। २५५१ ॥ बोडियसिवभूईओ, बोडियलिंगस्स होइ उप्पत्ती । જોડિન્ન-જોવીરા, પરંપરાાસમુપ્પન્ના ॥ ૨૫૧૨ ॥
ગાથાર્થ :- ૨થવી૨પુર નામનું નગર હતું ત્યાં દીપક નામનું ઉઘાન હતું. શિવભૂતિએ ઉપધિને વિષે પ્રશ્ન કર્યો સ્થવિરોએ તેનો ઉત્તર કહ્યો. ત્યારબાદ બોટિક એવા શિવભૂતિ થકી બોટિકલિંગની ઉત્પત્તિ થઈ. કૌડ઼િન્ય અને કોટ્ટવીર નામના ગુરુ તથા શિષ્યોથી પરંપરા પ્રગટ થઈ | ૨૫૫૧-૨૫૫૨ ॥
વિવેચન : આઠમા દિગંબર નામના નિĀવની ઉત્પત્તિ ક્યાં થઈ ? કેવી રીતે થઈ? તે હવે સમજાવે છે.