________________
સપ્તમ નિધવ ગોમાહિલ મુનિ
૧૭૧ નહીં થયેલી એવી સર્પની કાંચળી જેમ સર્પને વિટ છે. તેમ પૃષ્ટમાત્ર એવું કર્મ પણ સર્પને વીંટાતી કાંચળીની જેમ સ્પર્શમાત્રથી સંયુક્ત એવાં અને અબદ્ધ અર્થાત્ વદ્ધિ અને લોખંડની જેમ અલોલીભૂત એવાં (એટલે કે એકમેક નહીં થયેલા એવાં) આ કર્મ જીવને વીંટાય છે આ પ્રમાણે કાંચળીની જેમ કર્મ ચારે તરફ વીંટાયેલ હોવાથી જેમ સર્પ કાંચળી ઉતારે તેમ આ આત્મા પણ કર્મોનો નાશ કરીને મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. માટે કર્મ આત્માને કાંચળીની જેમ માત્ર સ્પર્શેલું છે પણ એકમેક થયેલું નથી. અર્થાત્ ઋષ્ટ છે પણ બદ્ધ નથી. ll૨૫૧ણા.
અવતરણ - કર્મપ્રવાદ નામના આઠમાં પૂર્વના વિચારમાં જે વિવાદ હતો તે જણાવી હવે પ્રત્યાખ્યાન પ્રવાદ નામના નવમા પૂર્વ સંબંધી વિવાદને સમજવતાં કહે છે કે :
सोऊण भन्नमाणं, पच्चक्खाणं पुणो नवमपुवे । सो जावज्जीवावहियं, तिविहं तिविहेण साहूणं ॥ २५१८ ॥
ગાથાર્થ - સાધુઓ વડે ત્રિવિધ ત્રિવિધ યાવજ્જવા સુધીની અવધિવાળું પચ્ચશ્માણ કરાતું સાંભળીને નવમા પૂર્વમાં તે ગોઠામાહિલ વિવાદને પામ્યા. || ૨૫૧૮ |
વિવેચન - કર્મપ્રવાદ નામના આઠમા પૂર્વમાં આત્માની સાથે કર્મ ઉપર ઉપરથી કાંચળીની જેમ ઋષ્ટ છે પણ બદ્ધ નથી આમ એક વિવાદ પૂર્વની ગાથામાં સમજાવ્યો. હવે આ ગાથામાં એક વખત પ્રત્યાખ્યાન પ્રવાદ નામના નવમા પૂર્વમાં “પિ મને! સામાં સવ્ય રાવળ્યું નો પડ્યહમ ગાવળીવાઈ' ઇત્યાદિ સૂત્રપાઠ ભણતાં ભણતાં સાધુ મહાત્માઓને માવજીવ સુધીની અવધિવાળું અપાતું પચ્ચક્મણ વિધ્યમુનિની પાસે વિચારણા કરતાં કરતાં સાંભળે છે. ત્યારે મનમાં ગોઠામાહિલને આવો નવો વિચાર આવે છે | ૨૫૧૮ |
અવતરણ - “માવજીવનો પાઠ સાંભળીને તે ગોષ્ઠા માહિલ શું કરે છે ? તે કહે છે :जंपइ पच्चक्खाणं, अपरिमाणाए होइ सेयं तु । जेसिं तुः परिमाणं, तं दुळं आससा होइ ॥ २५१९ ॥
ગાથાર્થ - ગોષ્ઠામાહિલ કહે છે કે કોઈ પણ પચ્ચખ્ખાણ અપરિમાણ તરીકે (એટલે કે કાલમર્યાદા વિના) જ કહેવું જોઇએ. તો જ તે શ્રેયસ્કર થાય. જે આત્માઓને પરિમાણવાળું પચ્ચખ્ખાણ છે. તે આશંસાવાળું હોવાથી દોષિત છે. ૨૫૧૯
| વિવેચન :- ગોઠામાહિલ વિશ્વમુનિને તથા તેમની પાસે અભ્યાસ કરતા તમામ મુનિઓને કહે છે કે “સર્વે પણ પચ્ચખાણો તો અપરિમાણપણે એટલે કે અવધિરહિત