________________
પંચમ નિર્ભવ આર્યગંગ આચાર્ય
૧૦૫
ગાથાર્થ :- તે વિવક્ષિત એવો જીવ તે વિક્ષિત એવા એક જ વિષયના ઉપયોગની શક્તિવાળો છે. તેથી તેના સમાન કાળમાં જ બીજા વિષયના ઉપયોગને કેમ પામે ? અથવા ક્યા અંશવડે બીજા વિષયના ઉપયોગમાં જોડાય ? અર્થાત બીજા વિષયનો ઉપયોગ તે કાળે હોતો નથી. ॥ ૨૪૩૨ ||
વિવેચન :- તે વિક્ષિત એવો જીવ તે વિવક્ષિત એવા એક જ અર્થના ઉપયોગ વાળો હોય છે. તે જ જીવ તે જ માત્ર વિવક્ષિત વિષયના ઉપયોગવાળો થયો છતો ત્યાં જ નિષ્ઠાને (અંતને) પામે છે શક્તિ જેની એવો તે જીવ તે વિવક્ષિત એક જ વિષયના ઉપયોગમાં રહેવાની શક્તિવાળો છે. આ કારણથી તેના સમાન કાળમાં બીજા અર્થાન્તરના ઉપયોગમાં કેવી રીતે જાય ? કોઈ પણ રીતે અર્થાન્તરના ઉપયોગમાં ન જાય. સાંકર્યાદિ દોષો આવે.
તથા વળી આ જીવ પોતાના સર્વ આત્મપ્રદેશો વડે એક જ વિષયના ઉપયોગમાં જોડાયો છે. તે જીવનો કોઈ પણ ભાગ બાકી રહ્યો નથી. સર્વ આત્મપ્રદેશો મળીને એક ઉપયોગમાં જોડાય છે તેથી તેિન વ્હેન અંગેન બાકી રહેલા ક્યા ભાગ વડે તે જીવ બીજા વિષયના ઉપયોગમાં જોડાય ? સર્વ આત્મપ્રદેશોનો સાથે મળીને એક જ ઉપયોગકાળ પ્રવર્તે છે. તેથી કોઈ અંશ બાકી છે જ નહીં કે તે જ જીવ બાકીના બીજા અંશવડે બીજા વિષયના ઉપયોગમાં જોડાય.
=
સર્વ આત્મપ્રદેશોનો સાથે મળીને એક જ ઉપયોગ હોય છે. તેથી એકકાળે પગભાગથી અને મસ્તકના ભાગથી એમ જુદા જુદા બે ઉપયોગ ભેગા હોતા નથી. ક્રમવર્તી જ હોય છે. ।। ૨૪૩૨ ||
---
અવતરણ : કદાચ આર્યગંગ આવો પ્રશ્ન કરે કે જો સમાનકાળમાં બે ક્રિયાનો ઉપયોગ ન જ થતો હોય તો મને તેવો અનુભવ કેમ થાય છે? આવી શિષ્યની શંકાનો ગુરુ ઉત્તર કહે છે . समयाइ सुहुमयाओ, मन्नसि जुगवं च भिन्नापि । उप्पलदलसयवहं व, जह व तदलायचक्कं ति ॥ २४३३ ॥
ગાથાર્થ :- સમય-આવલિકા વિગેરે કાળ ઘણો સૂક્ષ્મ હોવાથી ભિન્ન ભિન્ન કાળમાં કાર્ય થયેલાં હોય તો પણ તું તેને યુગપદ્ સમજે છે જેમ કે કમળની સો પાંખડીઓને વિંધવાની જેમ, તથા ઉંબાડીયાના ચક્રાવાની જેમ, ॥ ૨૪૩૩ ||
વિવેચન :- સમય -આવલિકા-ઘડી વિગેરે જે કાળના ભેદો છે તે કાલકૃત વિભાગો અતિશય સૂક્ષ્મ હોવાથી ભિન્ન ભિન્ન કાળમાં પ્રવર્તેલું ક્રિયાક્રયનું સંવેદન કમળનાં સો