SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ તમારી આ ખોટી પ્રરૂપણાને ત્યજી દો. નહીં તો હું તમારો નાશ કરી નાખીશ. ત્યારે ભયમુક્ત વચનોથી તેને ક્ષોભ થયો અને મિથ્યાત્વ છોડીને ગુરુ પાસે આવીને પ્રાયશ્ચિત્ત કર્યું. શિક્ષા પ્રદાન કરીને તેઓને સંઘમાં સમ્મિલિત કરવામાં આવ્યા. ૬. રોહગુપ્ત (ષડુલક) ઐરાશિક નિહવઃ ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી પ૪૪ વર્ષે અંતરંજિકાનગરીમાં બૈરાશિક મતનું પ્રવર્તન થયું. તેના પ્રવર્તક રોહગુપ્ત (ડુલક) હતા. જીવ-અજીવ અને નોજીવ આ પ્રકારની ત્રણ રાશિ માનનાર રોહગુપ્તના અનુયાયી ત્રરાશિક નિહ્નવ કહેવાય છે. એક વખત અંતરંજિકાનગરીમાં બહાર ભૂતગૃહ નામના ચૈત્યમાં શ્રીગુપ્ત નામના આચાર્ય પોતાના શિષ્ય પરિવાર સાથે પધાર્યા હતા. તે નગરીનો રાજા બલશ્રી નામના હતા. તે ગામમાં શ્રી ગુણાચાર્યના સંસારી પક્ષના ભાણેજ રોહગુપ્ત નામના શિષ્ય હતા. તેઓ ગુરુ વંદનાર્થે ત્યાં આવ્યા. ત્યારે એક પરિવ્રાજક લોઢાના પાટાથી પોતાનું ઉદર બાંધીને હાથમાં જંબુવૃક્ષની શાખા લઇને નગરીમાં ફરતા હતા. લોકો પૂછે કે, આ બંન્ને વસ્તુઓ કેમ રાખો છો ? ત્યારે તેઓ કહેતા હતા કે, અતિશય જ્ઞાન ભરેલું છે તેનાથી મારું પેટ ફાટે છે. તેને રોકવા લોઢાના પાટાથી પેટ બાંધ્યું છે અને આખા જંબુદ્વિપમાં મારો કોઇ પ્રતિવાદી નથી. બધા જ પરવાદીઓ મારાથી શાંત થઇ ગયા છે. તે જણાવવા આ શાખા રાખું છું. તે નગરીમાં તે લોહપટ્ટબદ્ધોદર પોટશાલના નામે પ્રસિદ્ધિ પામ્યા હતા. રોહગુસે તે નગરીમાં પ્રવેશ કરતાં જ આ ઘોષણા સાંભળી. ત્યારે તેણે તેની સાથે વાદ કરવાનું નક્કી કર્યું અને ગુરુજીને પછી વાત કરી. ત્યારે ગુરુજીએ કહ્યું કે, હે વત્સ ! તેં આ બરાબર નથી કર્યું. તે પરિવ્રાજક સાત ક્રિયાઓમાં પારંગત છે. તે તારાથી બળવાન છે. રોહગુણે કહ્યું કે, હે ગુરુજી ! હવે શું કરવું? આચાર્યે કહ્યું કે, હવે ડરવાની જરૂર નથી. હું તને તેની પ્રતિપક્ષી (વિરોધીની) સાત વિદ્યા આપું છું તેનો તું યથાસમયે ઉપયોગ કરજે. આમ કહીને આચાર્ય તેને પ્રતિપક્ષી સાત વિદ્યાઓ આપી. ૧. વૃશ્ચિક વિદ્યાની સામે મયુરી વિદ્યા ૨. સર્પ વિદ્યાની સામે નકુલી વિદ્યા વરાહી વિદ્યાની સામે સિંહવિક્વાની વિદ્યા. ૪. મૃગી વિદ્યા (હરણીયાં બનાવવાની વિદ્યા)ની સામે વ્યાઘ્રી (વાઘ બનવાની) વિદ્યા. ૫. મુષક (ઉંદર) બનાવવાની વિદ્યાની સામે બિલાડી બનાવવાની વિદ્યા ૬. કાકવિદ્યાની સામે ઉલકી (ઘુવડ) બનાવવાની વિદ્યા. ૩.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy