________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૭૭
તેની સામે ગુરુજી તેમને સમજાવે છે કે “જો તમને સૂત્ર જ વધારે પ્રમાણભૂત છે” આમ લાગતું જ હોય તો સૂત્રમાં જ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ (દ્રવ્યદૃષ્ટિએ) વસ્તુ શાશ્વત છે (ધ્રુવ જરૂર છે) આમ પણ અન્યસ્થાને કહેલું જ છે. અને પર્યાયપણે અશાશ્વત છે. ત્યાં (અને દ્રવ્યપણે શાશ્વત છે) તેનો સાક્ષી પાઠ આ પ્રમાણે છે
નેફ્યાનું મંતે ! ક્રિ સામયા, અસારવા ! ગોયમા સિય સાલા, सिय असासया । છે òળદ્રુળ મંતે ! × વુડ઼ ? ગોયમા, સ્વદયાત્ માસવા, માવજ્રયાત્ અસામત્તિા
“હે ભગવાન્ ! શું નારકીના જીવો શાશ્વત છે કે અશાશ્વત છે ? હે ગૌતમ ! અમુક અપેક્ષાએ શાશ્વત છે અને અમુક અપેક્ષાએ અશાશ્વત છે. હે ભગવાન્ ! કઈ અપેક્ષાએ આપશ્રી આમ કહો છો ? હે ગૌતમ! દ્રવ્યાર્થિક નયથી શાશ્વત, અને ભાવાર્થિકનયથી (એટલે કે પર્યાયાર્થિકનયથી) તે જ વસ્તુ અશાશ્વત પણ છે, આ સૂત્રનો પાઠ સર્વે પણ વસ્તુઓ પર્યાય અપેક્ષાએ ભલે અશાશ્વત પણ જરૂર છે છતાં દ્રવ્ય અપેક્ષાએ શાશ્વત પણ અવશ્ય છે જ. આમ કહે છે તે માટે સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય છે. પણ કેવળ એકલું અનિત્ય નથી. I૨૩૯૪]]"
અવતરણ :- અપિ = = તથા વળી.
एत्थ वि न सव्वनासो, समयाइ विसेसणं जओऽभिहियं । इहरा न सव्वनासे, समयाइविसेसणं जुत्तं ॥ २३९५ ॥
को पढमसमयनारगनासे, बितिसमयनारगो नाम ।
न सुरो घडो अभावो, व होइ जइ सव्वहा नासो ॥ २३९६ ॥
ગાથાર્થ :- અહીં પણ વસ્તુનો સર્વથા નાશ નથી. કારણ કે “સમયાદિ વિશેષણ કહેલાં છે” જો આમ ન હોત અને વસ્તુનો સર્વથા જ નાશ હોત તો પ્રથમ સમય આદિ વિશેષણ કેમ યોગ્ય કહેવાય ? || ૨૩૯૫ ||
જો પ્રથમસમયસંબંધી નારકીનો નાશ જ થયો છે તો બીજા સમયનો અને ત્રીજા સમયનો નારકી આમ કેમ કહેવાય ? તેને બદલે જો વસ્તુનો સર્વથા નાશ હોય તો આ દેવ છે. આ ઘટ છે અથવા આ અભાવ છે આમ પણ કેમ ન કહેવાય ? ||૨૩૯૬॥
વિશેષાર્થ :- આ સૂત્રપાઠમાં પણ “પ્રથમ સમયવાળા નારકી વ્યવચ્છેદને પામશે.” આવો પાઠ છે પરંતુ તે સૂત્રપાઠમાં વસ્તુ સર્વથા નાશ પામશે એવો પાઠ દેખાતો નથી. કારણ કે પ્રથમ-દ્વિતીય આદિ વિશેષણ કહેલું છે. તેથી વસ્તુનો સર્વથા નાશ જણાતો