SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ તેમના જીવનવ્રુત્તમાં વર્ણવાયેલી છે, પરંતુ એ બધાના સારરૂપે બુદ્ધઘાષે ‘વિશુદ્ધિમાં' ગ્રંથ રચી તેમાં એ સાધના વર્ણવી છે. તેથી તેને અનુસરી બૌદ્ધસાધનાની પ્રક્રિયા અને તેનાં અ ંગાના નિર્દેશ અહીં પર્યાપ્ત થશે. મહાવીરે કરેલી સાધના પૂર્વવર્તી પાર્શ્વનાથની સાધનાને અનુસરતી હોવા છતાં તેમાં દીર્ઘ તપસ્વી મહાવીરે કાંઈક સ્વાનુભવથી સુધારા-વધારા કર્યાં છે. ભગવાન મહાવીરની એ સાધના આચારાંગ અને સૂત્રકૃતાંગ જેવા આગમામાં છૂટી છવાઈ સંગૃહીત છે. એ બધાના સારરૂપે વાચક ઉમાસ્વાતિએ તત્ત્વા સૂત્રમાં સંવર અને તેનાં અગરૂપે એ સાધનાનું વન કર્યું છે, તેથી તેને આધારે એના નિર્દેશ અત્રે કરીશું. પાતંજલ યાગસૂત્રમાં વર્ણવેલાં આઠ અનેા આ છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમાંથી પાંચ યમેા કે મહાત્રતા એ સાધનાના મૂળ પાયેા છે. શૌચ, સંતાબ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમા યમની પુષ્ટિમાં ઉપકારક છે. આ બે અંગ દ્વારા સાધકનું વન મૈત્રી અને કરુણાથી સમૃદ્ધ બને છે તેમજ તેના ચત્તગત કલેશા મંદ થાય છે. આસન અને પ્રાણાચામ (યા. સૂ. ૨, ૪૮) એ બે અગાથી શરીર શીત, ઉષ્ણુ આદિ ન્દ્રસહિષ્ણુ ખને છે, જ્યારે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચાર અંગા દ્વારા ઇન્દ્રિયજય (૨, ૫૫) અને મનની સૂક્ષ્મ વિચારશક્તિ યા સત્યસ્પર્શી ઋતંભરા પ્રજ્ઞા (૩. ૫. અને ૧, ૪૮ ) પ્રગટે છે, આ અંગાને યથાશક્તિ સિદ્ધ કરવા સાધક યેાગીએ કેમ વર્તવું અને શું કરવું એ પ્રક્રિયા વર્ણવતાં પત જિલએ પ્રથમ અભ્યાસ અને વૈરાગ્ય કેળવવા (૧. ૧૨) સૂચવ્યું છે અને ત્યારખાનૢ જપ, ભાવના તેમજ ધ્યાન કરવાની સૂચના (૧. ૨૮, ૩૨, ૩૩, ૩૯) કરી છે. વિશુદ્ધિમા માં શીલ, સમાધિ અને પ્રજ્ઞારૂપે બૌદ્ધસમત
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy