SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮૮) શ્રીહષિમંડલ વૃત્તિઉત્તરાદ્ધ વાદ ભણવાની ઈચ્છા કરનારા આરક્ષિતે ફરી માતાને પૂછયું કે “હે અંબ! કહે દ્રષ્ટિવાદ કયાં મલી શકશે?” માતાએ હર્ષ પામી કહ્યું. “હે સુત! હમણું આપણી ઈશુવાટિકા (શેરડીની વાડી)માં તેસલિપુત્ર નામના સૂરિ આવ્યા છે કે જે હારા મામા થાય છે. હે પુત્ર! જે તને દ્રષ્ટિવાદ ભણવાની ખરેખરી પૃહા હોય તે તેમની પાસે જા, કારણ તે દ્રષ્ટિવાદના જાણ છે.” પછી માતાએ શિખામણ આપેલો તે આર્ય રક્ષિત, “ દ્રષ્ટિ એટલે દર્શન અને વાદ એટલે વિચાર તે દ્રષ્ટિવાદ” એ દ્રષ્ટિવાદ શબ્દનો અર્થ વિચારતે છતે સવારે પિતાની માતાની રજા લઈ કષ્ટિવાદ ભણવા માટે ઈક્ષવાટિકા પ્રત્યે જવા નિકળ્યા. રસ્તામાં તેને સાડાનવ શેરડીના સાંઠા લઈ આવનાર કે પુરૂષના શકન થયા, તેથી તે મનમાં વિચાર કરતે કરતા તસલી પુત્ર ગુરૂના આશ્રયની સમીપમાં આવી પહોંચ્યા. દ્વારની પાસે તેણે કઈ હદ્રુર નામના શ્રાવકના મુખથી વંદના વિધિ જાણી લીધી. ત્યારપછી તે ગુરૂ અને સર્વ સાધુને વંદન કરી ગુરૂ પાસે બેઠે. પછી શ્રાવકની અવંદનાથી તેને ગુરૂએ કઈ નવીન શ્રાવક જાણ્યો. પછી સૂરિ તેને ઓળખીને જેટલામાં કાંઈ પૂછવા વિચાર કરે છે તેટલામાં આર્યરક્ષિતે પિતાને સર્વ વૃત્તાંત ગુરૂ આગળ નિવેદન કર્યો. ગુરૂએ કહ્યું. “ગૃહસ્થને દ્રષ્ટિવાદ ભણી ગ્ય નથી.” આર્યરક્ષિતે કહ્યું. “હે પ્ર! જે એમ હોય તે દીક્ષા આપી મને દ્રષ્ટિવાદ ભણાવે. કારણ હારી માતાને દ્રષ્ટિવાદ ભણવાથી પ્રીતિ થશે. બીજી રીતે પ્રીતિ થાય તેમ નથી.” શ્રી સલીપુત્ર ગુરૂએ તેને યોગ્ય કાર્યો પણ તેના સ્વજનોના ભયથી તેમણે તેને બીજે ગામ તેડી જઈ વિધિ પ્રમાણે દિક્ષા આપી. થોડા દિવસમાં સાધુના સર્વ આચારના જાણ થએલા અને પિતાની પાસે રહેતા એવા તે આર્યરક્ષિતને પરિશ્રમ વિનાજ સર્વ શાસ્ત્રને અભ્યાસ કરાવ્યું. પછી ગુરૂએ તેને પૂર્વના અધ્યયનના અર્થનો અભ્યાસ કરવા માટે શ્રીવાસ્વામી પાસે મોકલ્યા. કાર્યને જાણ આર્યરક્ષિત પણ અનુક્રમે વિશાલા નગરીમાં પ્રથમ અનશનવ્રતધારી અને જિતેંદ્રિય એવા ભદ્રગુપ્ત આચાર્ય પાસે ગયો. ત્યાં તેણે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમની વંદના કરી. “જે કઈ સેપક્રમ આયુષ્યવાળ મા સ, શ્રીવાસ્વામીની સાથે એક રાત્રી રહે છે તે નિચે મૃત્યુ પામે છે.” એમ વિચાર કરી શ્રી ભદ્રગુણાચાર્ય આર્ય રક્ષિતને કહ્યું કે “હારે જુદા ઉપાશ્રયમાં રહી તેમની પાસે અભ્યાસ કર.પછી ભદ્રગુપ્તાચાર્યને નિયમણ કરાવી તથા તેમનું વચન ચિત્તમાં ધારણ કરી આર્ય રક્ષિત ત્યાંથી ચાલી નિકલ્યા અને જ્યાં શ્રીવાસ્વામી રહેતા હતા તે મહાપુર નગરને વિષે આવી પહોંચ્યા. ત્યાં તેમણે પ્રથમ જુદા ઉપાશ્રયમાં આશ્રમ કરી શ્રી વાસ્વામી પાસે જઈ તેમને વંદના કરી. શ્રી વાસ્વામીએ પણ તેજ રાત્રીમાં “જાણે મહારા હાથમાંથી દુધનું ભરેલું પાત્ર લઈ કઈ વટેમાર્ગુ માણસ તેમાંનું દુધ પી ગયો.” એવું સ્વમ દીઠું હતું. શ્રી વાસ્વામીએ તે આર્ય રક્ષિતને દશપૂર્વથી કાંઈક ઓછો અભ્યાસ કરનાર જાણું અને જુદા
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy