SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ “શ્રીજબૂસ્વામી નામના ચમકેવલીની કથા (૩૮) તે પણ ચાંડાલીના ઉદરથી ઉત્પન્ન થએલા બે બાળકને નિરંતર હર્ષથી રમાડતા એવા તેને કાંઈ દુઃખ જણાતું નહિ. ખેાળામાં બેઠેલા અને વારંવાર પેશાબ કરતા એવા તે પુત્રના મૂત્રથી થતા નાનને તે વિદ્યુમ્માલી, સુગંધી જળના સ્નાન સમાન માનવા લાગે. ચાંડાલીની પગલે પગલે તે તિરસ્કાર કરતી તે પણ તે મૂર્ખ પિતાને ભાગ્યવંત માનતે છતે તે સ્ત્રી ઉપરના સ્નેહને લીધે તેને દાસ થઈને રહેતો. ઉત્તમ બુદ્ધિવાળે મેઘરથ ફરી પણ ભ્રાતૃસ્નેહને લીધે ત્યાં આવ્યું. અને વિદ્યુમ્ભાલીને આલિંગન કરી કહેવા લાગ્યું. “હે કુલિન ! તું આ ચંડાલકુલને વિષે ન રહે. તેને તેના ઉપર આ રૂચિ શી? શું માનસરોવર ઉપર ક્રીડા કરનારે હંસ, ઘરને આગણે રહેલા દુગંધિ જલવાલા તલાવને વિષે રમે ખરે? હે જડ! જેમ અગ્નિ ધુમાડાથી ઘરને મલિન કરે તેમ તું જે કુલમાં ઉત્પન્ન થયે છે તે કુલને પિતાના કુકર્મથી મલીન ન કર.” મેઘરથે આવી રીતે તેને બહુ સમઝાવ્યું પણ તેણે તેની સાથે જવાની ઈચ્છા કરી નહીં ત્યારે મેઘરથ “જે બનવાનું હોય તે અન્યથા થતું નથી ” એમ કહી પાછે ગયે. - પછી મેઘરથે પિતાનું રાજ્ય દીર્ધકાળ પર્યત પાળી અવસર આવ્યું પોતાના પુત્રને સેંપી પિતે શ્રી સુસ્થિત ગુરુ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તપ કરેલો તે મેઘરથ દેવતા થયે. આ પ્રમાણે મેઘરથ અધિક સુખશ્રી પાયે અને વિદ્યુન્માલી ભયંકર એવી સંસારરૂપ અટવીમાં ભમે. (જે ખૂકમાર પધસેનાને કહે છે કે, પ્રિયે! માક્ષલક્ષ્મીના સુખમાં લંપટ એ હું વિદ્યુમ્માલીની પેઠે તમારા ઉપર અધિક રાગવાલે નહીં થઉં.” પછી કનકસેનાએ કહ્યું. “ જરા હારું કહ્યું માને, આપ શંખ ધમનકની પેઠે અતિશય આગ્રહ ન કરે. સાંભળે તે શંખ ધમનકનું દ્રષ્ટાંત: હે પ્રિય! શાલિગ્રામમાં કઈ એક ખેડુત રહેતું હતું તે હંમેશાં સૂર્યસ્તથી સૂર્યોદય પર્યત રાત્રીએ ક્ષેત્રનું રક્ષણ કરતો હતો. ક્ષેત્રરૂપ સમુદ્રમાં મંચરૂપ વહાણ ઉપર બેઠેલે તે ખેડુત નિત્ય ઉડી આવતા પક્ષીઓને શંખ ફેંકવાથી દૂર ઉડાડી મૂકતો. - એકદા કર ચિત્તવાલા કેટલાક શેરો ગાયોનું ધણ ચોરીને પેલા ખેડૂતના ક્ષેત્રની પાસે આવ્યા, એવામાં તેઓએ શંખને શબ્દ સાંભળે. તુરત તેઓ ગાયોના. ધણને ત્યજી દઈ દશે દિશાએ પલાયન કરી ગયા. સવાર થતાં ગાયોનું ધણ ધીમે ધીમે ચરતું પેલા ક્ષેત્રની પાસે આવી પહોંચ્યું. પછી પેલે ખેડુત ક્રોધથી હાથમાં લાકડી લઈ ગાયોના ધણ સામે દેડ, પણ ગાયોના ધણનું કઈ રક્ષણ કરનાર તેની નજરે પડયું નહીં. તેથી તે વિચાર કરવા લાગ્યું. “નિચે મહારા: શંખ શખથી થએલા ભયને લીધે રે ગાયોના ધણને ત્યજી દઈ નાસી ગયા છે. ખરું.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy