SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૨ ) શ્રી ઋષિમ‘ડલવૃત્તિ ઉત્તરાદ્ધ એકદા ગાંગિલા મરજી માફ્ક પર પુરૂષની સાથે ક્રીડા કરતી હતી, એવામાં મહેશ્વરદત્ત ઓચિંતા ઘરમાં આવ્યેા. પરપુરૂષવડે ભાગવાતી પોતાની સ્ત્રીને જોઇ અતિ ક્રોધ પામેલા મહેશ્વરદત્ત હાથવડે જાર પુરૂષને પકડયા, પછી તેણે તે જાર પુરૂષને લાકડી, મુડી અને જેરબંધ વિગેરેના પ્રહારથી એવા માર્યું કે તે જારપુરૂષ અધમૂવા જેવા બની ગયા. આવું નિંદ્ય કર્યું કરનારા કયા પુરૂષ સુખ પામે ? કઈ ન પામે, બહુ માર ખાતા છતાં પણ મહા મહેનતથી છુટીને નાસી ગએલા તે જાર પુરૂષ વિચાર કરવા લાગ્યા કે “ આવા નિંદ્ય કર્મ કરનાર એવા મને ધિક્કાર છે! કે જે કર્મ મ્હારા મૃત્યુને અર્થે થયું.” આવી રીતે વિચાર કરતા તે જારપુરૂષ, તુરત મૃત્યુ પામીને હમણાં પાતે ભાગવેલી ગાંગિલાના ઉદરને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા. પછી ગાંગિલાએ ચેાગ્ય અવસરે પુત્રને જન્મ આપ્યુંા. જો કે તે જારપુરૃષથી ઉત્પન્ન થયા હતા તાપણુ મહેશ્વરદત્ત તેને પાતાથી ઉત્પન્ન થએલા જાણી લાડ લડાવતા હતા, એટલું જ નિહ પણ પોતાની પ્રિયાએ પુત્રને જન્મ આપ્યા તેથી મડેશ્વરદત્ત પુત્રપ્રેમને લીધે તેના વ્યભિચાર ષને પણ ભૂલી ગયા અને પેાતાની સ્રીના જારપતિના જીવરૂપ પુત્રનું ધાત્રી કમ ( ધાવમાતાને કરવા ચેાગ્ય કામ ) પણ પોતે હર્ષ થી કરવા લાગ્યા. પરંતુ જરા પણ શરમાયા નહિ. વૃદ્ધિ પામતા અને પેાતાની દાઢી મૂછના વાળ ખેંચતા તે પુત્રને મહેશ્વરદત્ત પુત્રપ્રેમને લીધે પાતાની નજર આગળ રાખતા. અન્યદા પિતાના મરણની તીથિ આવી, તેથો મહેશ્વરદરોમાંસની ઈચ્છાથી પેાતાના પિતાના જીવરૂપ પાડાને વેચાતા લીધા. પિતાની તીથિને દિવસે હુ થી રામાંચિત થએલા મહેશ્વરદરો પાડાને માર્યા. પછી પાડાનું માંસ ખાતા એવા મહેશ્વરદરો, પોતાના ખાળામાં એસારેલા માળકને પણ હર્ષોંથી માંસ ખવરાવ્યું, તેમ જ માંસની ઈચ્છાથી ત્યાં આવેલી માતાના જીવરૂપ કૂતરીને પણ માંસથી ખરડાએલા હાડકાના કકડા નાખ્યા. પોતાના પતિના જીવ એવા પાડાના હાડકાની અંદર ચાટી રહેલા માંસને ખાતી એવી તે કૂતરી સતાષ પામીને હસ્તિના કર્ણ નીપેઠે પૂછડાને હલાવવા લાગી. મહેશ્વરદત્ત આ પ્રમાણે પિતાનું માંસ ભક્ષણ કરતા હતા એવામાં માસક્ષમણુના પારણે ભિક્ષા માટે ક્રૂરતા એવા એક મુનિ ત્યાં આવ્યા. મુનિએ પોતાના જ્ઞાનાતિશયને લીધે મહેશ્વરદત્તનું સંસારસમુદ્રમાં પાડનારૂં તેનું સવ ચેષ્ટિત જાણી લીધું, તેથી તે વિચાર કરવા લાગ્યા કે “ અા ! ડાહ્યા પુરૂષામાં શિરામણ એવા આ મહેશ્વરદત્તના અજ્ઞાનને ધિક્કાર છે, તે પાતે પિતાનું માંસ ખાય છે અને વળી શત્રુને ખાળામાં એસારે છે. આ કૂતરી પણ હર્ષ પામતી છતી પોતાના પતિના માંસવાલા હાડકાંને ભક્ષણ કરે છે. ધિક્કાર છે સંસારના આવા નાટકને ! આ પ્રમાણે જાણીને મુનિ, તેના ઘરથી નીકળી ગયા એટલે મહેશ્વરદત્ત તેમની
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy