SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ MN ^ ^^^ ^^^ ^^ ^^ ^ (2) શ્રી મિડલ વૃત્તિ ઉત્તર સાધુ થયો. “હું સાગરદન મુનિને શિષ્ય છું.” એ નિશ્ચય કરી શિવકુમારે મૌન વ્રત આદર્યું. કહ્યું છે કે મન વ્રત એ સર્વ અર્થને સાધનારૂ છે. માતા પિતા તેને બળથી ભોજન કરાવવા માંડે પણ તે જરા ખાય નહિ અને તે શિવકુમાર માતા પિતાને એમજ કહ્યા કરે છે કે મને કાંઈ ચતું નથી.” આ પ્રમાણે કરવાથી મોક્ષના અથી એવા શિવકુમારે પિતા પદ્મરથ ભૂપતિને બહુ ઉગ પમાડ્યો, તેથી, તેણે દઢ ધર્મવાળા શ્રેષ્ઠીપુત્ર કે જે શિવકુમારને મિત્ર થતું હતું તેને બેલાવીને કહ્યું કે “અમે શિવકુમારને વ્રત લેવાની ના પાડી તેથી તેણે એવું માનવ્રત લીધું છે કે તેને કોઈપણ ભોજન કરાવવા શક્તિવત થતું નથી. હે અન! તું જે પ્રકારે જાણે છે તે પ્રકારે કરીને શિવકુમારને ભજન કરાવ્ય. હે નિપુણ! અને તું તે પ્રકારે કરીશ તે પછી તે મહારા ઉપર શા શે ઉપકાર નથી કર્યો એમ હું માનીશ.” પછી શુદ્ધ બુદ્ધિવાળો દઢધર્મ પદ્મરથ ભૂપતિની તે આજ્ઞાને અંગીકાર કરી તરત હર્ષથી શિવકુમાર પાસે ગયે. ઉત્તમ બુદ્ધિવાળા દ્રઢમ્ શિવકુમારના મહેલની અંદર પ્રવેશ કરતાં નિહિ કરીને વિધિ પ્રમાણે ઈપથિકી કરી ત્યારપછી પૃથ્વીને પુજી દ્વાદશવર્ત વંદન કરી “મને આજ્ઞા આપો” એમ કહી શિવકુમાર પાસે બેઠે. શિવકુમારે કહ્યું “હે મિત્ર! જે વિનય સાગરદત્ત મુનિની પાસે કો ઘટે તે વિનય હારી પાસે કેમ કરે છે?” દઢમેં કહ્યું. “જે કોઈ સ્થાનને વિષે પણ સમ્યક દ્રષ્ટિવંત પુરૂષને વિષે ગ્ય એવા સમભાવ હોય તે સર્વને વિનય કરો યોગ્ય છે જે કઈ પુરૂષનું મન ઉપશમવાળું હોય તે પુરુષ વંદના કરવા યોગ્ય છે તેવા પુરૂષને વંદના કરવામાં કાંઈ દેષની શંકા કરાતી નથી. હે રાજકુમાર ! હું આ પને પૂછવા માટે અહીં આવ્યો છું કે તાવથી પીડા પામતા માણસની પેઠે આપે . ભોજન શા માટે ત્યજી દીધું છે?” શિવકુમારે કહ્યું. “હે મિત્ર ! માતા પિતા મને વ્રત લેવાની આજ્ઞા આપતા નથી. માટે ગૃહથી વૈરાગ્ય પામેલો હું ભાવસાધુ થઈને રહ્યો છું. માતા પિતા જ્યારે મને વ્રત લેવાની રજા આપશે ત્યારે હું લેજન કરીશ. નહિ તે ક્યારે પણ ભજન કરવાનું નથી.” દઢધમેં કહ્યું. “હે શુભ મનવાળા ! જો એમ હોય તો હમણાં ભજન કર, કારણ દેહને આધીન ધર્મ રહેશે છે અને આહારને આધિન દેહ છે. અર્થાત્ આહાર કરવાથી દેહ રહેશે અને દેહ રહેવાથી ધર્મ બની શકશે. મુનિઓ પણ પ્રાસુક એવા આહારને ગ્રહણ કરે છે. કારણ આહારરહિત શરીર છતે ધર્મકાર્ય કરવું દુષ્કર છે.” શિવકુમારે કહ્યું. મને તે કઈ શ્રાવક મળતો નથી કે જ્યાં પાસુક આહાર હાય માટે હું ઘરને વિષે ભજન ન કરવું તે શ્રેષ્ઠ માનું છું.” દઢધમે કહ્યું. “આપે તે યોગ્ય કહ્યું છે તે પણ હવે તે સર્વ ભેજનાદિ પ્રાસુકજ થશે.” શિવકુમારે કહ્યું. “હ બાર વર્ષ પર્યત છઠ્ઠ કરીને પારણે આંબિલ કરીશ” પછી સાધુના આચારમાં વિચણ એ દઢમ, તે દિવસથી ભાવસાધુ એવા શિવકુમારને વિનય કરવા લાગે. .
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy