SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૭૨) શ્રી પ્રષિમંડલવૃત્તિ-ઉત્તર ત્સવ કરી સ્વમાના અનુસારથી માતાપિતાએ પુત્રનું હર્ષથી શાલિભદ્ર એવું સ્પષ્ટ નામ પાડ્યું. આનંદથી પાંચ ધાવ માતાઓ વડે લાલન પાલન કરાતે તે પુત્ર અધિક મૂર્તિમંત એવા પૂણ્યસમૂહની પેઠે અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. પુત્રે બહુ કમળપણાને લીધે કલાચાર્યને પિતાના ઘરને વિષે બોલાવી લીલામાત્રમાં સર્વ કળાએને અભ્યાસ કર્યો. જાણે પૃથ્વીને વિષે કામદેવ રૂપ નૃપતિનું ચક્રવતી રાજ્ય હાયની? એવી રૂપ સૌભાગ્યના પાત્રરૂપ તે પુત્ર વનાવસ્થા પામ્યો. પછી તેજ નગરમાં રહેનારા બત્રીશશ્રેષ્ઠીઓએ પિતાની બત્રીશ કન્યા ગોભદ્ર શ્રેણીની વિનંતિ કરીને સુશોભિત એવા શાલિભદ્રને આપી. બીજે દિવસ શાલિભદ્ર, પોતાના માતાપિતાના સર્વ મને રથને પૂર્ણ કરતે છતો ઉત્તમ લક્ષણવાળી તે કન્યાઓને મટા ઉત્સવથી પર. હવે શ્રી શ્રેણિક રાજાને સમશ્રી નામે પુત્રી હતી. શાલિભદ્રને સુભદ્રા નામે ન્હાની બહેન હતી. તેમજ ઉદ્યાનપાલને પુષ્પાવતી નામે પુત્રી હતી. આ ત્રણે પુત્રીઓ એક જ દિવસે જન્મેલી હોવાથી પરસ્પર સખીઓ થઈ હતી. યુવાવસ્થા પામેલી તે પુત્રીઓ એક દિવસ પરસ્પર કહેવા લાગી કે આપણે ત્રણેને એકજ પતિ પરણ કે જેથી આપણે પરસ્પર વિયોગ થાય નહિ. એકદા પુષ્પાવતીએ પિતાના ઘરને વિષે રહેતા ધન્યકુમારના ઉત્કૃષ્ટ ગુણનું વર્ણન કર્યું, તેથી સમશ્રીએ હર્ષથી તે વાત શ્રેણિક રાજાને નિવેદન કરી પછી શ્રેણિક રાજાએ હર્ષથી તે ત્રણે કન્યાઓ સારા મુહૂર્ત મોટા ઉત્સવથી ધન્યકુમારને પરણાવી. એટલું જ નહિ પણ તેને રહેવા માટે નિવાસસ્થાન તથા ગજાદિ સમૃદ્ધિ આપી. ધન્યકુમાર પણ પિતે પૂર્વે આપેલા દાનના પૂણ્યથી તે ભગ્ય વસ્તુને ઉત્કૃષ્ટપણે ભેગવવા લાગે. એકદા ધન્યકુમાર પિતાની પ્રિયાઓની સામે હાસ્યવિલાસ કરતો છતો - ખમાં બેઠા હતા એવામાં તેણે અતિ દુઃખી અવસ્થાને પામેલા પોતાના માતા પિતાને રાજમાર્ગમાં દીઠા. ધન્યકુમારે તુરત દ્વારપાલ મેકલી તેમને પિતાની પાસે બેલાવી વસ્ત્રાલંકારથી સુશોભિત બનાવીને પછી સ્ત્રી સહિત તેણે તેમને હર્ષથી નમસ્કાર કર્યો. પછી ધન્યકુમારે માતા પિતાને પૂછયું કે “તે તમારું બહુ ધન કયાં ગયું ?” તેઓએ કહ્યું. “હારા પ્રવાસ પછી તે દ્રવ્ય પણ નદીના પ્રવાહની પેઠે ચાલ્યું ગયું. હે પુત્ર! અમે સાંભળ્યું કે તું અહીંયાં અભૂત રાજ્ય કરે છે તેથી તને જોવાને ઉત્સાહવંત એવા અમે અહીં આવ્યા છીએ. પછી ધન્ય બુદ્ધિવાળા ધન્યકુમારે તેઓને જુદાં જુદાં ગામ આપ્યાં. કહ્યું છે કે સંતપુરુષે, સ્વભાવથી જ નિત્ય ખલ પુરૂષનું પણ હિત કરનારા હોય છે. માતાપિતાના ગૃહકાર્યને ધન્યકુમાર પિતે કરતો છતો સ્ત્રી સહિત દેવતાની પેઠે વિલાસ કરતો હતો. હવે ગોભદ્ર શ્રેષ્ઠીએ શ્રી વદ્ધમાનસ્વામી પાસે દીક્ષા લીધી ત્યારપછી તે છે માસ પર્યત વતનું આરાધન કરી સ્વર્ગક પ્રત્યે ગયા. ત્યાં તે દેવ શાલિભદ્રના
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy