SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ wwwww શ્રી ધન્યકુમાર તથા શ્રીશાલિભદ્ર નામના મહર્ષિઓની કથા, (૨૨) રથી વેપાર કરવા લાગ્યા, તેમાં એઓએ કાંઈ પણ લાભ નહિ પામતાં ઉલટી ખોટ ખાધી. પછી ભગ્યવંત માણસોમાં મુખ્ય, ઉત્તમ ધર્મરૂપ ધનના ભંડારરૂપ અને કાર્યને જાણ એ ધન્યકુમાર ધન મેળવવાને અર્થે બજારમાં આવીને બેઠે. હવે એ નગ૨માં મહા ધનવંત છતાં બહુ કૃપણ એ કઈ મહેશ્વર શ્રેષ્ટી રહેતે હતો તેણે અનેક મહા આરંભથી બહુ ધન મેળવ્યું હતું તે પણ તે ધર્મને વિષે કોઈપણ ખર્ચ નહીં, એટલું જ નહિ પણ સ્વજનાદિકને આપવું એ પણ તેને રુચતું નહીં. આંધલાં પાંગલાં, ગરીબ તેમજ દરિદ્રી લેકેને તે કાંઈ થોડું પણ આપતે નહીં, પિતે ક્યારે પણ સારાં નવીન વસ્ત્રો પહેરતે નહીં તે પછી વાર્ષિક પર્વને દિવસે સારું ભોજન કરવું તે તે હેયજ ક્યાંથી ? વળી દુષ્ટ બુદ્ધિવાલે તે કૃપણ શ્રેષ્ઠી તાંબુલ અને ચંદન વિગેરેનું નામ પણ કયાંથી જાણતા હોય ? જે કાંઈ તેની પાસે અજાણથી કઈ માગે છે તે બહુ ક્રોધ કરતે. તેમજ જે કઈ બીજે માણસ કોઈ ગરીબને કાંઈ આપતો તેના જોવામાં આવે છે તે જડાત્મા એવા કૃપણ શ્રેષ્ઠીના માથામાં શૂલ આવતું. ધનની મહા મૂચ્છ પામેલે તેમજ બને લેકોને વિનાશ કરનારે તે શ્રેષ્ઠી હંમેશાં ધનનું ધ્યાન કરતે, પરંતુ કયારે પણ ધર્મનું ધ્યાન કરતે નહીં, જડ એવો તે શ્રેષ્ઠી પિતાના ઘરની અંદર ખાઈ ખુંદી તેમાં દ્રવ્ય ભરી તેના ઉપર પિતાને પિલો ખાટલે કે જેમાં રત્ન ભર્યા હતાં તે પાથરીને જાણે પરબ્રહ્મમાં લીન થએલે યોગી હોયની? તેમ દ્રવ્યની મૂછથી નિત્ય સૂતો પણ તે જડાત્મા એમ જાણતે નહિ કે કે પુરૂષ પ્રયત્નથી રક્ષણ કરેલા દ્રવ્યને ત્યજી દઈ પરલોકમાં નથી જત? અર્થાત્ સર્વે જાય છે. જરાવસ્થાથી જર્જરિત થએલા શરીરવાળા અને મૃત્યુ પામવાને તૈયાર થએલા તે શ્રેષ્ઠીને તેના પુત્રોએ જ્યારે ખાટલેથી નીચે ઉતારવા માંડે ત્યારે ખાટલાની ઈસાને બન્ને હાથથી પકડી રહેલા તે શ્રેષ્ઠીએ કહ્યું, મને આ ખાટલો બહુ સારે લાગે છે માટે નીચે ઉતારશે નહિ. શ્રેષ્ઠી ખાટલામાંજ મૃત્યુ પામ્યું એટલે રત્નના વૃત્તાંતને નહિ જાણનારા તેના પુત્રો શ્રેણીની સાથે તેના વહાલા ખાટલાને પણ સ્મશાનમાં લઈ ગયા, શ્રેષ્ઠીના પુત્રોએ સ્મશાનના અધિપતિને ખાટલે આપી દીધા તેથી તે સ્મશાનધિપતિએ તે ખાટલાને વેચવા માટે ચટામાં મૂક્યો. આ વખતે ચૂંટામાં બેઠેલા ધન્યકુમારે રત્નગર્ભ એવા તે ખાટલાને. ઓળખે. કહ્યું છે કે બુદ્ધિવંત પુરૂષ તૃણ અથવા વેલાદિકથી ઢંકાઈ ગએલા તેમજ દૂર રહેલા નિધિને નેત્રથી નહિ દેખતા છતા બુદ્ધિથી જોઈ શકે છે. પછી ધન્યકુમારે તે ખાટલાને ખરીદ કરી પોતાને ઘરે આર્યો અને તેમાંથી રત્ન કાઢી હર્ષથી પોતાના માતા પિતાને આપ્યાં. આથી ધન્યકુમારની ઘરમાં લક્ષમી અને બહાર કીતિ બહુ ફેલાણી. તેમજ તેના ભાઈઓના ચિત્તને વિષે અભાગ્યપણથી બહુ મત્સર થયે કહ્યું છે કે આ જગતમાં કારણ વિના ક્રોધ કરનારા અસંખ્ય
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy