SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહષિમંડલ વૃત્તિ-ઉત્તરાદ્ધ અકામનિર્જરાના રોગથી દેવતા થયે ત્યાંથી ચવી પૃથ્વી ઉપર આવ્યા ત્યાં પણ મૃત્યુ પામી સાતમી નરકે ગયે. આ પ્રમાણે મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિને વિષે ભમતે એવો તે શાલા રૂપે ઉત્પન્ન થયા. પૂર્વભવના અભ્યાસ અને વાસનાના આવેશથી ગોશાલે તીર્થકરના ધર્મને બહુ પ્રત્યેનીક (શત્રુરૂપ) થયે.” શ્રી મહાવીર પ્રભુનાં આવાં વચન સાંભળી પ્રતિબંધ પામેલા કેટલાક માણ સેએ વૈરાગ્યથી દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. હવે ગોશાલાએ પ્રભુ ઉપર તેજલેશ્યા મૂકી હતી તેથી ભગવાનને રાતે અતિસાર (ઝાડા) અને પિત્તને અતિજ્વર આવતો હતો તેથી તેમનું શરીર બહુ દુબલું થઈ ગયું હતું તો પણ પ્રભુ કાંઈ ઔષધ કરતા નહોતા. પ્રભુના શરીરને વિષે આ મહાવ્યાધિ દેખાવા લાગે તેથી લોકોમાં એવી વાત ચાલી કે “ગોશાલાની તેજોલેશ્યાથી પ્રભુ છે માસની અંદર મૃત્યુ પામશે.” આ વાત પ્રભુના એક સિંહ નામના શિષ્ય સાંભલી, તેથી તે પોતાના ગુરૂના વિયોગ થવાના કારણથી આકુલ વ્યાકુલ થયો છતો એકતને વિષે જઈ રેવા લાગે. પ્રભુએ તેની આવી ચેષ્ટા જ્ઞાનથી જાણી તેથી તેમણે સિંહને પિતાની પાસે બોલાવીને કહ્યું કે “હે સાધે! તું લોકોની વાતથી ભય પામી મનમાં કેમ ખેદ કરે છે? વિપત્તિથી ક્યારે પણ જિનેશ્વરે મૃત્યુ પામતા નથી તે સંગમાદિકથી ઉત્પન્ન થએલા ઉપસર્ગોથી પણ મૃત્યુ પામ્યા નથી.” સિંહમુનિએ કહ્યું. “હે વિભ! જો કે એમ છે તે પણ નિચે તમારી આવી આપત્તિ જોઈ લેક પિતાના હૃદયમાં બહુ ખેદ પામે છે માટે આપ અમારા વિગેરે લેકની સુખશાંતિને માટે આષધ ભક્ષણ કરે. કારણ કે નાથ ! અમે પીડા પામતા એવા તમને જોવા માટે એક ક્ષણ પણ સમર્થ થતા નથી.” પછી પ્રભુએ તે સિંહ મુનિને હર્ષ પમાડવાના હેતુથી કહ્યું. “હે મુનીશ્વર ! રેવતી શ્રાવિકાએ હાર માટે કોલાપાક કરી રાખે છે તે નહિ લેતાં પિતાના ઘરને માટે બનાવી રાખેલા બીજેરા પાકને લઈ આવ કે જેથી હું તને જેમ ધીરજ થાય તેમ કરીશ.” પછી શ્રેષ્ઠીની પ્રિયા રેવતીના નિવાસ ઘરથી સિંહમુનિએ વસુવૃષ્ટિ પૂર્વક આણેલા નિર્દોષ તે. એષધને ભક્ષણ કરી જિનરાજ નિરેગી થયા. શ્રી વીરપ્રભુના શૈશાલાએ કરેલા પરાભવને નહિ સહન કરતા એવા સુનક્ષત્ર મુનિ તેમજ સર્વાનુભૂતિ મુનિ મૃત્યુ પામી ઢળે ગયા. તેવી જ રીતે શ્રી જિનેશ્વર માટે રેવતી શ્રાવિકાના ઘરથી ઉત્તમ ઔષધ લાવ્યા. તે સિંહમુનિ પણ આઠમા કલ્પને પામ્યા. તે ત્રણે મુનીશ્વરની અમે સ્તુતિ કરીએ છીએ. 'श्रीसर्वानुभूति, श्रीसुनक्षत्र अने श्रीसिंह' नामना मुनिपुङ्गवोनी कथा संपूर्ण.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy