SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષિમંડલ -ઉત્તરાદ્ધ ઘી પીરસતે હાયની? તેમ મૂતર્યો. કૃણિક તરત મૃતરથી ભિજાએલું ભોજન દૂર કરી બાકીનું પુત્રના ઉપર પ્રેમને લીધે હર્ષથી ખાવા લાગ્યા. આ વખતે ત્યાં બેઠેલી પિતાની માતા ચેલ્લણને કૃણિકે પૂછયું કે “હે માતા ! મ્હારી પેઠે બીજાને આવે કઈ પ્રિયપુત્ર હશે? ચેલણાએ કહ્યું. “અરે પાપી ! –પાધમ! તું જેવો હારી પિતાને પ્રિય હતું તેવા બીજા કેઈ નહોતા. તું મહારા ગર્ભમાં આવ્યો ત્યારે મને દુષ્ટ ડહોળે ઉત્પન્ન થયું હતું. તે વખતે મેં તને પિતાને વરી ધાર્યો હતે. પછી મેં ગભે ગાળી નાખવા માટે બહુ ઔષધ કર્યા પણ તેથી તે ગળી ગયો નહીં પણ ઉલટ પુષ્ટ અંગવાળો થયો. કારણ કે ભાગ્યવંત પુરૂષને સર્વ હિતકારી થાય છે. હું પુત્રનું મુખ ક્યારે જોઈશ એવા અધિક ઉત્સાહથી હાંરા પિતાએ હારે તે ડાળ પણ પૂર્ણ કર્યો હતે. જન્મ આપ્યા પછી મેં તુરત તને પિતાને વૈરી સમજી ત્યજી દીધું હતું પણ ત્યાંથી પોતાના જીવિતની પેઠે હારા પિતાએ તને પાછો આ. એકદા હારી આગલીને કુકડાએ કરડી હતી. આંગળી તેથી પાકી અને તેને બહુ પીડા કરવા લાગી. હારા પિતાએ હારી તેવી આગલીને પણ ત્યાં સુધી પિતાના મુખમાં રાખી કે જ્યાં સુધી તને બીજી આંગળી પ્રાપ્ત થઈ, હે દુષ્ટ બુદ્ધિવાળા! શ્રીમંત પિતાએ તને આવી રીતે લાડ લડાવ્યો તેને તું આવું કઈ આપે છે. તે શું તને યોગ્ય છે?” કૃણિકે કહ્યું. “જે પિતા હારા ઉપર દ્વેષ ન રાખતા હોય તે તેમણે મને ગેળના મોદક આપી હલ્લવિહલને ખાંડના માદક શામાટે આપ્યા?” ચણાએ કહ્યું. “તને ગોળના મેદક અપાવનાર હું પોતે છું કારણ કે તે પિતાને દ્વેષી હોવાથી મને અપ્રિય હતે. કણિકે કહ્યું. “હે માત! અવિચારકારી એવા મને ધિક્કાર થાઓ, હું ફરી હારા પિતાને તેમનું રાજ્ય પાછું આપીશ.” આમ કહી કૃણિક અધું જમ્યા છતાં પણ હાથ ધોઈ, પુત્ર ધાવને સેંપી પિતા પાસે જવા માટે ત્યાંથી ઉઠે. “હું પિતાના ચરણકમળમાં રહેલા નિગડને ભાંગી નાખું” એમ ધારી કૃણિક હાથમાં લેહદંડ લઈ પિતા તરફ દેડ. આ વખતે શ્રેણિકની પાસે રહેલા પૂર્વ પરિચિત સેવકોએ તેવી રીતે આવતા એવા કૃણિકને જોઈ આકુલવ્યાકુલ થયા છતાં શ્રેણિકને કહ્યું. “હે રાજન ! આ તમારે પુત્ર હાથમાં લેહદંડ લઈ વેગથી આવે છે તે દુષ્ટ ચિત્તવાળો શું કરશે તે અમે જાણી શકતા નથી. “શ્રેણિકે વિચાર્યું નિચે તે હાથમાં લેહદંડ લઈને મને મારવા માટે આવે છે. માટે હવે હું શું કરું? હું નથી જાણતા કે તે ક્યારે મને કેવા પ્રકારે મારશે. તો તે જેટલામાં હારી પાસે ન આવી પહોંચે તેટલામાં મહારે મરણનું શરણ લેવું યેગ્ય છે. આમ ધારી તેણે તાલપુટ વિષ જિહ્વાના અગ્રભાગ ઉપર મૂકયું. તેથી તેના પ્રાણ પ્રાઘણુંકની પડે. તત્કાલ ચાલ્યા ગયા. કૃણિક જેટલામાં પિતાની આગળ આવી પહોંચે, તેટલામાં તેણે પિતાને સત્યુ પામેલા દીઠા તેથી તે અતિ દુઃખી થઈને પોતાની છાતીમાં પ્રહાર
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy