SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૦ ) શ્રીઋષિમ‘ડલવૃત્તિ ઉત્તરાદ્ધ પ્રતિમા વહન કરી તથા ગુણરયણુ સંવત્સર નામનું તપ કરી પાંચમા વિજય નામના દેવલાક પ્રત્યે ગયા. ॥ ૧૪૨-૧૪૩ ૫ - s&> જે ‘શ્રી મેઘમા’ નામના મુનિવરની દયા. રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને ગુણવત ધારિણી નામે સ્ત્રી હતી. ઈચ્છા પ્રમાણે વિષયસુખ ભાગવતા એવા તેઓને મેઘના ઉત્તમ સ્વમથી સૂચિત મેઘકુમાર નામે પુત્ર થયા. માતા પિતાએ તેને કળાચાય પાસે ભણાવ્યેા અનુક્રમે તે પુત્ર, સ્ત્રીઓની દ્રષ્ટિરૂપ મૃગપક્તિને બાંધવામાં વાણુરા સમાન ચૈાવનાવસ્થા પામ્યા. પિતાએ સ્નેહથી તેને આઠ રાજકન્યાએ પરણાવી, જેથી તે પૂર્વના પુણ્યયેાગથી પંચ પ્રકારનાં વિષયસુખ ભાગવવા લાગ્યા. એકદા શ્રી વ માનસ્વામી રાજગૃહ નગરે સમવસર્યા. દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું. શ્રી વીરપ્રભુને સમવસરેલા જાણી પુત્ર સહિત શ્રેણિક રાજા અત્યંત ભક્તિવડે મ્હાટી સંપત્તિવડે પ્રભુને વદન કરવા ગયા. ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી સાવશ્વાન મનવાળા તે ત્યાં ચેાગ્ય આસને બેઠા. પછી શ્રી વીરપ્રભુએ અમૃતસમાન મધુર વાણીથી મિથ્યાત્વ રૂપ અંધકારનો નાશ કરનારી ઉત્તમ ધ દેશના આપી. દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમ્યક્ત્વ લીધું અને અભયકુમારાર્દિકે સુખકારી એવા શ્રાવક ધર્મ આદર્યા. પછી હાથોડી તીર્થ નાથને નમસ્કાર કરી શ્રેણિક, પ્રભુની આજ્ઞાથી હર્ષ પામતા છતા પુત્રા સહિત ઘરે ગયા. આ વખતે મેઘકુમારે હાથ જોડી આનંદથી ધારિણીને તથા શ્રેણિકને મધુર વાણીથી કહ્યુ કે “ હું માતા પિતા ! તમાએ મ્હારૂં માહથી કાળ પર્યંત લાલન પાલન કર્યું છે તે હું કેવલ તમારા શ્રમને અર્થે જ થયા છું, છતાં વિનતિ કરૂં છું કે આ અનંત દુ:ખથી ભરપૂર એવા સંસારવાસથી હું ભય પામું છું, અને સંસારના ભયને દૂર કરનારા શ્રી અરિહંતપ્રભુ હમણાં અહિં વિરાજે છે. માટે સંસારથી ઉદ્વેગ પામેલા મને તમે હમણાં રજા આપો કે જેથી હું તે મહાવીરપ્રભુ પાસે દીક્ષા લઉં.” માતાપિતાએ કહ્યું. “હે પુત્ર! નિચે વ્રત બહુ દુષ્કર છ અને તું કામલ છે તે તે વ્રતને તું શી રીતે પાળીશ ? ” મેઘકુમારે કહ્યુ હું સંસારવાસથી ભય પામ્યા છું માટે દુષ્કર એવા પણ વ્રતને પાલીશ. માટે હમણાં મને ઝટ રજા આપે. પુત્રાદિકનું મૃત્યુ માતાપિતાથી નિવારી શકાતું નથી. તેા પણ હું જિનેશ્વરના શરણથી મૃત્યુને છેતરીશ.” શ્રેણિકે કહ્યું, “ જે તને સંસારના ભય છે. તાપણુ અમને પ્રસન્ન કરવા માટે એક દિવસ રાજય અંગીકાર કર. ” મેઘકુમારે તે વાત અંગીકાર કરી એટલે શ્રેણિકે તેને રાજ્યાસન ઉપર સ્થાપન કર્યા અને હર્ષથી કહ્યું કે હવે હું ત્યારૂ કામ શું કરૂ? ” મેઘકુમારે કહ્યુ કે હું તાત ! મ્હારે દીક્ષા લેવાની ઇચ્છા છે માટે મ્હારે અર્થે પાત્રાં, રાહરણ ઇત્યાદિ વસ્તુઓ લાવે ” જો કે શ્રેણિકને આ વાત માડુના વંશથી ': ,,
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy