SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) શ્રી ઋષિમ’ડલવૃત્તિ-ઉત્તરાદ્ધ પર્યંત સલેખના કરી. છેવટ તે શાંત અને ક્ષમાધારી મુનિ, ઈશાને દેવલાકમાં મહા સમૃદ્ધિવંત સામાનિક દેવ થયા. ' श्री कुरुदत्तसुत' नामना मुनिवरनी कथा संपूर्ण. 6000 पव्वइओ जो माया - समनिओ वीरपायमूलम्मि || સો ગમયમારમુળી, વત્તો વિનય વિમાન ॥ ૧૨૮ ॥ જેણે પેાતાની માતા સહિત શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી, તે શ્રીઅભયકુમાર મુનિ વિજય નામના પાંચમા અનુત્તર વિમાનને પામ્યા. ॥ ૧૩૮ ૫ * ' श्री अभयकुमार' नामना मुनिपुंगवनी कथा. આ ભરતક્ષેત્રમાં કુશાગ્રપુર નામના નગરને વિષે શત્રુરૂપ હસ્તિને ત્રાસ પમાડવામાં કેશરીસિંહ સમાન પ્રસેનજિત્ નામે રાજા રાજ્ય કરતા હતા. જેના ચિત્તને વિષે જિનમેં સ્થિર નિવાસ કર્યો હતા એવા તે ભૂપતિના નીતિમે લેાકમાં અને યશસમૂહે પૃથ્વી ઉપર પેાતાનું રાજ્ય સ્થાપ્યું હતું. શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના શાસનને વિષે અણુવ્રતધારી, કૃતાર્થ અને સમ્યક્ત્વથી પવિત્ર આત્માવાળા તે રાજા ઉત્તમ શ્રાવકધર્મ પાળતા હતા. બહુ સ્ત્રીએ છતાં પણ તે રાજાને ઉત્તમ શીલવાળી ધારિણી નામે પટ્ટરાણી હતી. પૃથ્વીનું પાલન કરતા અને ઉગ્ર તેજવાળા તે રાજાને બીજી રાણીઓથી ઉત્પન્ન થએલા બહુ પવિત્ર પુત્રા હતા. ધારિણીએ પણ ઉત્તમ તેજવાળા, વિનયવંત, ન્યાયવત અને બુદ્ધિવત એવા શ્રેણિક નામના પુત્રને જન્મ આપ્યા હતા. એકદા પ્રસેનજિત ભૂપતિએ રાજ્યના ચાગ્યપણાથી પરીક્ષા કરવા માટે પોતાના સઘળા પુત્રાને એક સ્થાનકે એસારી તેમને ભાજન માટે ખીરના થાળા આપ્યા. પછી સઘળા પુત્રા ભાજન કરવા લાગ્યા ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા પ્રસેનજિત રાજાએ પહેાળા માઢાવાળા વાઘ સમાન કુતરાઓને છેડી મૂક્યા. કુતરાઓને ઝડપથી આવતા જોઇ બીજા કુમારા ઉડી ગયા પણ બુદ્ધિના સ્થાનરૂપ શ્રેણિક તા જેમ હતા તેમના તેમ બેસી રહ્યો. તે ખીજા થાળામાંથી ઘેાડી થાડી થાડી ખીર કુતરાઓને આપી પાતે ભાજન કરવા લાગ્યા. પુત્રના આવા સાહસને જોઈ પ્રસેનજિતુ રાજા આ જે તે ઉપાયથી ખીજાઓને રોકી પોતે રાજ્ય ભાગવશે.” એમ ધારી બહુ હર્ષ પામ્યા. વળી જેણે ફરી પરીક્ષા કરવા માટે પુત્રાને લાડુ ભરેલા કરડીયા અને પાણીથી ભરેલા કેારા ઘડા આપીને કહ્યું કે, તમારે આમાંથી લાડુ ખાવા પણ કરડીયાને ઉઘાડવા તેમજ ભાંગવા નિહ. વળી આ ઘડામાંથી પાણી પીવું પણ ઘડાનાં માં ઉઘાડવાં નહિ તેમ નીચે છીદ્ર પાડવાં નહિ.” શ્રેણિક વિના બીજો કોઈ પણ પુત્ર
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy