SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૦) શ્રીમષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. ભાયુક્ત પિષધવ્રત કરવા લાગે. ઉત્તમ વાસનાવાલા સુબાહુએ આઠમા પહોર અંતે પાછલી રાત્રીએ નિદ્રામાંથી જાગી એમ વિચાર કર્યો કે તેજ નગર, ગામ, દેશ, બેટ અને ખાણ વિગેરે ધન્ય છે કે જ્યાં લેકેના અજ્ઞાને રૂ૫ અધિકારને નાશ કરનારા શ્રી જિનેશ્વર રૂ૫ સૂર્ય વિચરે છે, વલી તેજ પુણ્યાત્મા નુપાદિ પુરૂ ધન્યજનેમાં શ્રેષ્ઠ છે કે જેઓ શ્રીવીરપ્રભુની દેશના સાંભલી હર્ષથી દીક્ષા લે છે. જે આજે ત્રણ લોકના સૂર્ય રૂપ શ્રી વિરપ્રભુ અહીં આવે તે હું નિશે તેમની પાસે સંયમ લઉં,” સુબાહુ કુમારના આવા ભાવને જાણ સવારે શ્રી વીરપ્રભુ પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતમાલ યક્ષના મંદીરમાં સવસર્યા. અદીનશત્રુ રાજા અને સુબાહુકુમાર બન્ને જણાએ ફરી ત્યાં જિનેશ્વરને નમસ્કાર કરી ધમ. દેશના સાંભલી. પછી રાજા ઘરે ગયે એટલે સુબાહુ કુમારે, વીરપ્રભુને નમસ્કાર કરીને કહ્યું કે “હે વિભે ! હું હારા માતા પિતાની રજા લઈ દીક્ષા લઈશ.” શ્રી વિરપ્રભુએ તેને “ વિલંબ ન કરીશ.” એમ કહ્યું. પછી નિસ્પૃહ એ સુબાહ કુમાર, માતા પિતા પાસે આવી નમસ્કાર કરી કહેવા લાગ્યો. “હે માતા પિતા ! મેં આજે શ્રી વીર પ્રભુ પાસે મનોહર ધર્મ સાંભલ્ય છે, તે મને બહુ રૂપે છે, અને તે મહારે બહુ ઈષ્ટ છે. ” માતા પિતાએ “ ઉત્તમ લક્ષણવાળા તને ધન્ય છે એમ તેની વારંવાર પ્રશંસા કરી. એટલે સુબાહ, તેમને ફરી કહેવા લાગ્યું. આપની આજ્ઞાથી હું હમણ દીક્ષા લઈશ.” પુત્રનાં આવાં અનિષ્ટ વચન સાંભળી રાણી તુરત મૂચ્છ પામી. શીતલ વાયરા વિશેરેના ઉપચારથી સચેત થઈ એટલે તે વિલાપ કરતી છતી કહેવા લાગી. “હે પુત્ર! હારા પિતાએ સેંકડે બાધાઓ રાખવાથી તે પુત્ર થયો છું. માટે તું મને અનાથને ત્યજી દઈ કેમ સંયમ લેવા તૈયાર થાય છે ? હે પુત્ર ! હારા વિના વિશે હારા પ્રાણે ચાલ્યા જશે. તેથી જ્યાં સુધી અમે જીવિએ ત્યાં સુધી તું ભેગમાં પૃહાવત થઈ ઘરે જ રહે. અમે મૃત્યુ પામ્યા પછી તું ઉજ્વલ એવું ચારિત્ર લેજે” પુત્રે કહ્યું. “ સંધ્યા સમયના રંગ અને પાણીના પરપોટા સમાન તેમજ સેંકડો દુઃખોથી વ્યાપ્ત એવા આ મનુષ્યભવને વિષે હું ક્યારે પણ પ્રીતિ પામતે નથી. વળી હે માતા ! હું એમ પણ નથી જાણતા કે હારું મૃત્યુ તમારા પહેલું થશે કે પછી, કારણ મૃત્યુ બાલકને, વૃદ્ધને, યુવાનને, રાજાને, ધનવંતને કે નિધનને કયારે પણ છોડતું નથી. માટે હે માતા પિતા ! આપ મને હમણાં ચારિત્ર લેવાની આજ્ઞા આપે.” માતા પિતાએ તેને ફરીથી કહ્યું. “હે પુત્ર ! સર્વ અવયવથી સુંદર, ૩૫ સૈભાગ્ય યુક્ત અને યવન લક્ષમીથી મનહર આ હારું કેમલ શરીર છે. માટે કેટલાક દિવસ સુધી તે પિતાના દેહથી ઉત્તમ ભેગેને ભેગવીને પછી મહાવ્રત અંગીકાર કરજે. ” કુમારે કહ્યું. “હે માતા પિતા ! આ હારું શરીર મેદની જાલથી બંધાયેલું તેમજ માંસ, રૂધિર અને હાડકાંના ઘર રૂપ છે. વળી એ શરીર અશુચિ વસ્તુથી ઉત્પન્ન થએલું, અશુચિના સ્થાન રૂપ, વ્યાધિના ભયને આપનારું
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy